14th June : બિહારમાં ફરી દેખાશે નીતિશ અને લાલુની 'યારીયા'!
ગોવા, 14 જૂન : વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી આજે પોતાની પહેલી મુલાકાત વિમાનવાહક યુદ્ધજહાજ આઇએનએસ વિક્રમાદિત્યની સવારી કરવા માટે ગોવા પહોંચી ગયા છે. નેવલ બેસ પર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નરેન્દ્ર મોદી આજે ગોવામાં અરબ સાગર તટ પર આઇએનએસ વિક્રમાદિત્યની સવારી કરશે. નરેન્દ્ર મોદી મિગ-29માં બેસીને પાયલટ પાસે તેની સંપૂર્ણ જાણકારી મેળવી.
મોદી આજે હેલીકોપ્ટર દ્વારા યુદ્ધજહાજ પર આવી પહોંચ્યા હતા. આઇએનએસ વિક્રમાદિત્ય દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. જેને 15 હજાર કરોડ રૂપિયામાં રશિયા પાસેથી હાસલ કરાવામાં આવ્યું છે. 45 હજાર ટન વજન વાળા આ જહાજ પર મિગ-29, સી હેરિયર્સ, પી-81 સહિત ઘણા વિમાનો છે.
સાથે જ કામોવ અને સી-કિંગ હેલીકોપ્ટર પણ અત્રે રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન અહીંથી નૌકાદળના લડાકૂ વિમાનોની સાથે સાથે પશ્ચિમી ક્ષેત્રના જહાજોનું કૌશલ જોશે. માનવામાં આવા રહ્યું છે કે આ દરમિયાન તેઓ આઇએનએસ વિક્રમાદિત્ય પર હાજર નૌસેના અધિકારીઓ અને નાવિકોને પણ સંબોધિત કરશે.
વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

બિહારમાં ફરી દેખાશે નીતિશ અને લાલુની 'યારીયા'!
બિહારની રાજનીતિ એકવાર ફરી કરવટ લઇ રહી છે. જેના આધાર પર એવું કઇ શકાય કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂ અને રાજદ સાથે દેખાય. કહેવાય છે કે નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવને ફોન કરીને મોદીને હરાવવા માટે સાથે આવવા જણાવ્યું છે.

સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો જવાબ આપશે સેના
રક્ષા મંત્રી અરુણ જેયલી બે દિવસના કાશ્મીર પ્રવાસ પર છે. તેમણે તાજેતરમાં થયેલા સીઝપાયરનું ઉલ્લંઘન પર જણાવ્યું કે સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો જવાબ આપશે સેના.

ઓબામા ઇરાકમાં હવે નહીં મોકલે સેના
ઇરાકમાં ચાલી રહેલી હિંસાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું છે કે ઇરાકી સરકારની કોઇ રાજનૈતિક યોજના વગર તેમનો દેશ ત્યાં ઇસ્લામી આતંકી સમૂહ આઇએસઆઇએલ વિરુધ્ધ સૈન્ય કાર્યવાહી નહી કરે.

ટેલિકોમ કમિશને રાષ્ટ્રીય મોબાઇલ નંબર પોર્ટેબિલિટીને મંજૂરી આપી
ટેલિકોમ મંત્રાલયે નેશનલ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૂ કરવાનું વિચાર્યું છે. આ અંગેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટ્રાઇ દ્વારા તેને કેટલીક ઔપચારિક મંજૂરીઓ મળ્યા બાદ ટૂંક સમયમાં આ સેવા શરૂ થઈ જશે.

પ્રીતિએ નેસ વાડિયા પર લગાવ્યો છેડછાડનો આરોપ, કેસ દાખલ
ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાના પૂર્વ બોયફ્રેંડ અને ઉદ્યોગપતિ નેસ વાડિયાની વિરુધ્ધ શારીરિક છેડછાડનો કેસ દાખલ કર્યો છે. પ્રીતિએ 12 જૂનની રાત્રે મુંબઇના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ દાખલ કરાવી છે. તેનો આરોપ છે કે 30 મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં નેસ વાડિયાએ તેમની સાથે છેડખાની કરી હતી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી








Click it and Unblock the Notifications
