નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે નિતિશ પર કર્યા પ્રહાર
દરભંગામાં પ્રમંડલીય સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી નિતિશ કુમાર દ્રારા ભાજપ સાંસદ કીર્તિ આઝાદને બોલવાથી અટકાવવાના મુદ્દે બંને દળો વિશે ઘમાસણ મચ્યું હતું. રવિવારે તે સમયે બંને મુદ્દાઓ પર દરભંગા-પટનાથી માંડીને રાજનંદગાવ (છત્તીસગઢ) સુધી બંને દળો વચ્ચે તલવારો ખેંચાઇ હતી. રાજનંદગાવમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'મેં એવા મુખ્યમંત્રી જોયા છે જે દાવા કરે છે કે જનતાના દિલો પર રાજ કરે છે. મગર સત્ય એ છે કે જનતા વચ્ચે ભારે મુશ્કેલીથી જઇ શકે છે. કેટલાકને તો ભારે વિરોધનો સામનો કરવો પડે છે. પ્રજા તેમને પરત ફરવા કહે છે. કેટલાક પર પથ્થર ફેંકવામાં આવે છે. કેટલાકને પ્રવાસ રદ કરવો પડે છે. ઇશારા ઇશારામાં કરવામાં નિતિશ કુમાર પર કરવામાં આવેલી ટિપ્પણીને જદયૂના નેતા સહન કરી ન શક્યા.
જદયૂના પ્રદેશ અધ્યક્ષ વશિસ્ઠ નારાયણ સિંહે કહ્યું હતું કે આ બધુ યોગ્ય નથી. આ અટકવું જોઇએ. આ ક્રમમાં દરભંગા પ્રકરણ પણ આવે. કહેવામાં આવે છે કે નિતિશ કુમાર સેવા યાત્રાના બીજા દિવસે શનિવારે દરભંગામાં પ્રમંડળ સ્તરની સમીક્ષા બેઠકમાં ભાગ લઇ રહ્યાં હતા. કીર્તિ આઝાદે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ બેઠકમાં તેમને બોલતા અટકાવ્યા હતા. બેઠકમાંથી બહાર નિકળતી વખતે કીર્તિના તિખા વલણથી તકરારની સ્થિતી સર્જાઇ હતી. કીર્તિ આઝાદે સેવા યાત્રા પર સવાલ ઉભા કરતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી સેવા યાત્રાના નામ પર 'હેલિકોપ્ટર યાત્રા' કરી રહ્યાં છે. કીર્તિ આઝાદની ટિપ્પણી પર જદયૂ પ્રદેશ અધ્યક્ષે ભાજપના સાંસદ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જદયૂ પ્રવક્તા સંજય સિંહ બોલ્યા હતા કે સારું હતું જો કીર્તિ આઝાદ ક્રિકેટ જ રમતા.