'ફક્ત સરદાર પટેલ સાથે જ થઇ શકે મોદીની તુલના'
ભોપાલ, 11 ઓગષ્ટ: ઇદના અવસર પર બૉલીવુડ અભિનેતા રઝા મુરાદે નરેન્દ્ર મોદીને નમાજી ટોપી પહેરવવાના નિવેદન પર વિવાદ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નરેન્દ્ર મોદીની તુલના સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કરી હતી.
શનિવારે રાત્રે કરેલા પોતાના ટ્વિટમાં શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીના કદ ને કાર્યની તુલના ફક્ત સરદાર પટેલ સાથે જ કરી શકાય. જો કે શિવરાજ સિંહે આ ટ્વિટ પર કોઇ નેતાએ કમેન્ટ કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઇદના અવસરે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રઝ મુરાદે શિવરાજ સિંહની હાજરીમાં ટોપી પહેરવાને લઇને નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તે સમયે શિવરાજ સિંહ ચૌહાણ મૌન રહી તે વાતને ટાળી દિધી હતી.

નરેન્દ્ર મોદી પર નિવેદન બાદ રઝા મુરાદ પર ભાજપના નેતાઓએ ચોતરફ હુમલો શરૂ થઇ ગયો હતો. કહેવામાં આવે છે કે આ કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા નમાજી ટોપી પહેરવાને લઇને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પણ નારાજ છે.












Click it and Unblock the Notifications
