ગોધરા-અનુગોધરા માટે મોદીને જવાબદાર ના ગણી શકાય: કેપીએસ ગિલ
નવી દિલ્હી, 1 નવેમ્બર: પંજાબના પૂર્વ ડિજીપી કેપીએસ ગિલે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં ગોધરાકાંડ બાદ છયેલા રમખાણો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ના ગણાવી શકાય કારણ કે કાયદા વ્યવસ્થા સાથે નિપટવું એ પોલીસ નેતૃત્વનું કામ છે.
ગુજરાત રમખાણો સાથે જોડીને પૂછવામાં આવતા ગિલે પત્રકારોને જણાવ્યું કે'કાયદા વ્યવસ્થાની સ્થઇતિમાં કાર્યવાહી કરવી પોલીસ નેતૃત્વનું કામ છે અને આ કામ રાજનૈતિક નેતૃત્વનું નથી.'
વર્ષ 2002માં નરેન્દ્ર મોદીના સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા ગિલે આજે પોતાની આત્મકથા 'કેપીએસ ગિલ: ધ પેરામાઉન્ટ કૉપ'ના અનાવરણના અવસર પર આ અંગેનું નિવેદન આપ્યું.

પુસ્તકમાં ગિલે મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી હિંસા ખતમ કરવા માટે ગંભીર હતા, અને તેમણે બીજા રાજકીય દળો પર મોદીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો.
More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
