નરેન્દ્ર મોદીએ પ્રથમવાર કબુલ્યું : "મારી પત્નીનું નામ જશોદાબેન છે"
વડોદરા, 10 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે બુધવારે લોકસભા ચૂંટણી 2014માં વડોદરાથી ઉમેદવારીપત્ર ભરતા સમયે ઇલેક્શન કમિશનને સુપરત કરેલા સોગંદનામામાં જાહેર કર્યું છે કે પોતે પરિણિત છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાના લગ્નજીવનની સ્થિતિ અંગે લોકસભા ચૂંટણી સમયે ખુલાસો કરશે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી વડોદરાની બેઠક પસંદ કરી છે કારણ કે તે સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. વડોદરામાં તેમના હરીફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મદુસુદન મિસ્ત્રી છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં તેમના પ્રતિદ્વંદી 'આપ'ના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સ્થાનિક નેતા અજય રાય છે.
નરેન્દ્ર મોદીએ સોગંદનામામાં પોતાની પત્ની વિશે અન્ય શું વિગતો આપી છે તે જાણવા આગળ ક્લિક કરો...

પત્ની હોવાની કબૂલાત
ઉમેદવારીપત્ર સાથે જોડેલા સોગંદનામામાં નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ પરિણિત છે. તેમણે તેમની પત્નીનું નામ જશોદાબેન હાવોનું જણાવ્યું છે. તેમણે આ વિગતો જીવનસાથીના ખાનામાં ભરી છે.

અત્યાર સુધી શું કરતા હતા?
અત્યાર સુધી નરેન્દ્ર મોદી પોતાના સોગંદનામામાં સ્પાઉસ એટલે કે જીવનસાથી અંગેની વિગતનું ખાનુ ખાલી રાખતા હતા. તેમણે વિધાનસભા ચૂંટણી 2012માં પણ જીવનસાથીની વિગત અંગેનું ખાનુ ખાલી રાખ્યું હતું.

પત્નીના નામે કેટલી મિલકત?
હવે લોકસભા ચૂંટણી 2014માં તેમણે કબૂલ્યું છે કે તેમને પત્ની છે. ત્યારે બીજી તરફ જ્યાં પત્નીના નામે કેટલી મિલકત છે તે અંગેની વિગતો ભરવાનું જે ખાનુ હતું તેમાં લખ્યું હતું આ અંગે તેમની પાસે કોઇ વિગતો નથી.

નરેન્દ્ર મોદીની વિગતો મોડે સુધી જાહેર ના કરાઇ
નોંધનીય બાબત એ છે કે નરેન્દ્ર મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર સવારે ભર્યું હતું તેમ છતાં કલેક્ટર કચેરીમાં તેને છેક મધરાતે જાહેર જનતાને જોવા માટે મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના ચૂંટણી અધિકારીની વેબસાઇટ ઉપર પણ તેમના સોગંદનામા અને ઉમેદવારી પત્રને મોડી રાત સુધી અપલોડ કરવામાં આવી ન હતી.

હવે શું થશે?
લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વિગતો સામે વિપક્ષો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર નરેન્દ્ર મોદીની સાફ છબીનો આધાર રહેલો છે. જો આ મુદ્દો ચગાવવામાં આવશે તો મોદીને નુકસાન થઇ શકે છે.
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.












Click it and Unblock the Notifications
