નરેન્દ્ર મોદીએ પ્રથમવાર કબુલ્યું : "મારી પત્નીનું નામ જશોદાબેન છે"
વડોદરા, 10 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે બુધવારે લોકસભા ચૂંટણી 2014માં વડોદરાથી ઉમેદવારીપત્ર ભરતા સમયે ઇલેક્શન કમિશનને સુપરત કરેલા સોગંદનામામાં જાહેર કર્યું છે કે પોતે પરિણિત છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાના લગ્નજીવનની સ્થિતિ અંગે લોકસભા ચૂંટણી સમયે ખુલાસો કરશે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી વડોદરાની બેઠક પસંદ કરી છે કારણ કે તે સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. વડોદરામાં તેમના હરીફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મદુસુદન મિસ્ત્રી છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં તેમના પ્રતિદ્વંદી 'આપ'ના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સ્થાનિક નેતા અજય રાય છે.
નરેન્દ્ર મોદીએ સોગંદનામામાં પોતાની પત્ની વિશે અન્ય શું વિગતો આપી છે તે જાણવા આગળ ક્લિક કરો...

પત્ની હોવાની કબૂલાત
ઉમેદવારીપત્ર સાથે જોડેલા સોગંદનામામાં નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ પરિણિત છે. તેમણે તેમની પત્નીનું નામ જશોદાબેન હાવોનું જણાવ્યું છે. તેમણે આ વિગતો જીવનસાથીના ખાનામાં ભરી છે.

અત્યાર સુધી શું કરતા હતા?
અત્યાર સુધી નરેન્દ્ર મોદી પોતાના સોગંદનામામાં સ્પાઉસ એટલે કે જીવનસાથી અંગેની વિગતનું ખાનુ ખાલી રાખતા હતા. તેમણે વિધાનસભા ચૂંટણી 2012માં પણ જીવનસાથીની વિગત અંગેનું ખાનુ ખાલી રાખ્યું હતું.

પત્નીના નામે કેટલી મિલકત?
હવે લોકસભા ચૂંટણી 2014માં તેમણે કબૂલ્યું છે કે તેમને પત્ની છે. ત્યારે બીજી તરફ જ્યાં પત્નીના નામે કેટલી મિલકત છે તે અંગેની વિગતો ભરવાનું જે ખાનુ હતું તેમાં લખ્યું હતું આ અંગે તેમની પાસે કોઇ વિગતો નથી.

નરેન્દ્ર મોદીની વિગતો મોડે સુધી જાહેર ના કરાઇ
નોંધનીય બાબત એ છે કે નરેન્દ્ર મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર સવારે ભર્યું હતું તેમ છતાં કલેક્ટર કચેરીમાં તેને છેક મધરાતે જાહેર જનતાને જોવા માટે મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના ચૂંટણી અધિકારીની વેબસાઇટ ઉપર પણ તેમના સોગંદનામા અને ઉમેદવારી પત્રને મોડી રાત સુધી અપલોડ કરવામાં આવી ન હતી.

હવે શું થશે?
લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વિગતો સામે વિપક્ષો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર નરેન્દ્ર મોદીની સાફ છબીનો આધાર રહેલો છે. જો આ મુદ્દો ચગાવવામાં આવશે તો મોદીને નુકસાન થઇ શકે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
