મોદી સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરશે
નવી દિલ્હી, 5 જૂન : ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેના માર્ગ અકસ્માતમાં થયેલા નિધનને પગલે હવે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં મોટાપાયે ફેરફાર કરતા માર્ગ અકસ્માતોને અટકાવવાની દિશામાં કટિબદ્ધતા દર્શાવી છે.
માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ ગુરુવારે બપોરે મંત્રીમંડળની બેઠકમાં માર્ગ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા પણ થઇ છે. ગડકરીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કાયદામાં ફેરફાર કરતા પહેલા છ દેશોના માર્ગવ્યવહારના કાયદાઓનો અભ્યાસ કરશે.

જે છ દેશોના માર્ગ વ્યવહાર કાયદોઓનો આભ્યાસ થવાનો છે તેવા દેશોમાં જાપાન, સિંગાપુર, કેનેડા જેવા દેશો સામેલ છે. ત્યાર બાદ ભારતમાં મોટર વ્હીકલ એક્ટનું નવું માળખું અમલમાં મૂકવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ રેડલાઇટને સર્વર સાથે જોડવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે.
નવા નિયમો અંતર્ગત ત્રણ વાર લાઇટ જંપ કરનારનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની જોગવાઈ પણ સમાવિષ્ટ થશે. આ સાથે નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
