મોદી સરકારમાં 40000 કરોડની માર્ગ યોજનાઓ મંજૂર, રોજ 30 Km રસ્તો બનાવાશે
નવી દિલ્હી, 25 જૂન : કેન્દ્ર સરકાર દેશમાં દરરોજ 30 કિલોમીટર લાંબા માર્ગ બનાવવા માંગે છે. જેનાથી દેશમાં માર્ગ બનાવવાની પ્રક્રિયામાં ઝડપ આવી શકે છે. માર્ગ અને પરિવહન મંત્રી અને રાજમાર્ગ મંત્રાલયે માર્ગ બનાવવા માટે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે.
આ અંગે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સીમા માર્ગ સંગઠન (બીઆરઓ)ના કામકાજનું ઓડિય કરાવવાનું એલાન પણ કર્યું છે. ગડકરીએ મંગળવારે પત્રકારોને જણાવ્યું કે 'વર્તમાનમાં કુલ માર્ગ નિર્માણમાં ઘણો ઘટાડો થયો છે. લગભગ 60,000 કરોડ રૂપિયાની માર્ગ યોજનાઓ અટકેલી છે. તેમાં મુખ્ય અવરોધ ભૂમિ સંકલન અને પર્યાવરણ અને વન મંત્રાલયની મંજૂરી છે.'

ગડકરીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અટવાયેલી પડેલી યોજનાઓ પર આવનારા ત્રણ મહિનામાં કામ શરૂ થશે. મંત્રાલય જલ્દીથી જલ્દી મંજૂરી લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યારે આ યોજના શરૂ થઇ જશે તો તેમાંથી કેટલીક યોજનાઓને પૂરી થવામાં એક વર્ષ કે તેથી વધારે સમય લાગશે. વર્તમાન સમયમાં સરેરાશ નિર્માણ ત્રણ કિલોમીટર પ્રતિદિવસ છે. અમે પ્રતિ દિવસ 30 કિલોમીટર માર્ગ બને તેવું લક્ષ્યાંક ધરાવીએ છીએ.
ગડકરીએ જણાવ્યું કે પાછલી સરકારે વર્ષ 2009માં પ્રતિ દિવસ 20 કિલોમીટર માર્ગ નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે પર્યાવરણની મંજુરી નહીં મળવાથી અને અન્ય મુશ્કેલીઓને પગલે અડધાથી થોડો વધારે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાયો છે.બીઆરઓ અંગે ગડકરીએ જણાવ્યું કે તેના કામનું ઓડિટ કર્યા બાદ જ તેને કામ આપવામાં આવશે.
આ સાથે તેમણે દિલ્હી-જયપુર, દિલ્હી-પંજાબ, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-દહેરાદૂન તથા ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી અને દીવ-દમણના તમામ રાષ્ટ્રીય ઘોરીમાર્ગોના કામકાજ પર નજર રાખવાની સૂચના આપી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
