નરેન્દ્ર મોદી તમિલનાડુમાં : જયલલિતાએ કર્યો ભાજપ પર પ્રહાર
ચેન્નાઇ, 14 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુમાં લોકસભા ચૂંટણી 2014 માટે સાથી ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવા ચેન્નાઇ પહોંચે તેના થોડા કલાકો પહેલા જ એઆઇએડીએમકેના મહાસચિવ અને તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતાએ ઇચ્છા ન હોવા છતાં આ ચૂંટણીઓમાં પ્રથમવાર ભાજપ સામે શાબ્દિક પ્રહાર કર્યો છે.
ભાજપની આગેવાનીવાળી નેશનલ ડેમોક્રેટિક અલાઇન્સ (એનડીએ)ના ઘટક પક્ષ હોવા છતાં જયલલિતાએ ભાજપ પર કરેલા હુમલાને કારણે અનેક અટકળોને વેગ મળ્યો છે. સાથે આવનારા સમયમાં રાજકારણના સમીકરણો બદલાવાની શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઇ છે.
રવિવારે કરૂરમાં એક ચૂંટણી સભામાં બોલતા જયલલિતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને કાવેરી જળ વિવાદ મુદ્દે ભીંસમાં લેતા જણાવ્યું કે મતદારો એટલી ખાતરી આપજો કે કોંગ્રેસ અને ભાજપમાંથી એક પણ ઉમેદવારને તેમની બેઠક પરથી ડિપોઝિટ પણ પાછી ના મળી શકે.

ઉલ્લેખનીય છે કે જયલલિતાએ અગાઉ નક્કી કર્યું હતું કે તેઓ કાવેરી જળ વિવાદ મુદ્દે ભાજપ પર પ્રહારો કરવાનું ટાળશે. આમ છતાં અનિચ્છાએ પણ જયલલિતાએ કાવેરી જળ વિવાદ, રામ મંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી છે.
જયલલિતાનું આક્રમક વલણ અનેક બાબતોનું પરિણામ છે. ડીએમકેને બે ઇસ્લામિક પાર્ટીનું સમર્થન મળ્યું છે. જ્યારે મોદીની આગેવાનીમાં એનડીએ આવું સમર્થન મેળવી શક્યું નથી. વર્તમાન સમયમાં એઆઇએડીએમકેને મુસ્લિમોનું સમર્થન મળી રહ્યું છે. જો કે ભાજપ સાથેના જોડાણને કારણે ચૂંટણી બાદ તેની સ્થિત પર અસર પડી શકે છે. વળી, એક બિન રાજકીય મુસ્લિસ સંસ્થા ટીએનટીજે દ્વારા એઆઇએડીએમકેને સમર્થન પાછું ખેંચી લેવાતા જયલલિતાએ આ વલણ અપનાવ્યું છે.
બીજી તરફ એનડીએ દ્વારા 24 એપ્રિલે મતદાન યોજાય એ પહેલા પ્રચાર કરવા માટે નરેન્દ્ર મોદીની સભાઓ ગોઠવી છે. અત્યાર સુધી જયલલિતા ડીએમકે અને તેના સાથી કોંગ્રેસને જ નિશાન બનાવતા હતા કારણ કે ભાજપ અને એનડીએ તેના સાથી પક્ષ છે જ્યારે મોદી સાથે તેમની મિત્રતા છે. જોકે મુસ્લિમોની નારાજગીથી ભાજપને ખાસ ગુમાવવાનું નહીં રહે પણ જયલલિતાને મોટો ફટકો પડી શકે છે. આથી તેમણે એનડીએ-ભાજપને નિશાન બનાવ્યા છે.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
