For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ પદની દાવેદારી અંગે મોદીએ કહ્યું,' તમને મળીને ખુશ થયો'

|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી(વનઇન્ડિયા બ્યૂરો), 6 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની મુલાકાત બાદ એ પ્રશ્નનો જવાબ ટાળી દીધો હતો , જેમાં પીએમ પદની દાવેદારી અંગે પૂછવામાં આવ્યું હતું. મોદીએ માત્ર એટલું જ કહ્યું કે, આજે તેમણે એક માંગપત્ર પ્રધાનમંત્રીને સોંપ્યુ, જેમાં તેમણે ગુજરાતના અધિકારીઓ સાથે જોડાયેલી માંગો રજૂ કરવામાં આવી છે.

મોદીને મીડિયાએ પૂછ્યુ કે પીએમ પદની દાવેદારીનો તમે સ્વિકાર કરો છો કે નહીં? મોદીએ કહ્યું, ' તમને મળીને મને ખુશી થઇ છે, ધન્યવાદ.' આટલું કહીને તેઓ જતા રહ્યાં હતા. આ પહેલા તેમણે મીડિયાને પીએમ મનમોહન સિંહ સાથે થયેલી મુલાકાત અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે, આજે ગુજરાતની જનતાના અધિકારીઓ સાથે જોડાયેલી માંગોને રજૂ કરતું એક માંગપત્ર પીએમને સોંપવામાં આવ્યું છે.

માંગપત્રમાં નર્મદા નદીમાં પાણી છોડવા, રસોઇ ગેસ અને પેટ્રોલના ભાવો, વિકાસના અન્ય કેટલાક મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, દેશભરમા રાંઘણ ગેસના ભાવ અલગ છે અને ગુજરાતમાં અલગ. આ વાત અસ્વિકૃત છે.

મોદી અંગે તોગડિયા પણ કાંઇ ના બોલ્યા

મહાકુંભમાં અલ્હાબાદ પહોંચેલા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રવિણ તોગડિયાએ પણ મોદી અંગે કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, પીએમ મદના ઉમેદવારથી તેમને કોઇ મતલબ નથી. એ કામ ભારતીય જનતા પાર્ટીનું છે. અહીં ચાલી રહેલા સમારોહમાં અમે તેમનું સ્વાગત કરીશું જે હિન્દૂ છે. પછી તે કોઇપણ પાર્ટીનું કેમ ના હોય.

અશોક સિંઘલે પણ કંઇ ના કહ્યું

વિહિપના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલને જ્યારે નરેન્દ્ર મોદીની પીએમ પદની દાવેદારી અંગે પ્રશ્ન પૂછ્યો તો, તેમણે પણ કહીં દીધું કે અમને તેનાથી કોઇ મતલબ નથી. અમે આજ સુધી ભાજપની રાજકિય ગતિવિધિઓ પર કોઇ ચર્ચા નથી કરી.

English summary
After meeting Prime Minister Manmohan Singh, Gujarat Chief minister Narendra Modi addressed media and not answered the question over PM candidature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X