PM દ્વારા શિલાન્યાસ કરેલા ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજનાની ખાસ વાતો
ચારધામ રાજમાર્ગ વિકાસ કાર્યક્રમ હેઠળ કુલ 900 કિલોમીટર સુધીના રસ્તાનું થશે નિર્માણ, જેના દ્વારા ઉત્તરાખંડના પવિત્ર તીર્થોને એક બીજા સાથે જોડવામાં આવશે. વધુ વાંચો અહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઓલ વેધર રોડનું શુભારંભ કર્યું. આ પ્રોજેક્ટ દ્વારા દેશના તમામ લોકો જે ઉત્તરાખંડ ચારધામની યાત્રા માટે આવે છે તે એક રીતે જોડાઇ જશે. નોંધનીય છે કે તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેહરાધૂનમાં રેલી પણ કરી હતી. જે નોટબંધી બાદ ઉત્તરાખંડમાં પીએમ મોદીની પહેલી રેલી હતી.
વડાપ્રધાન મંગળવારે સવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ઉત્તરાખંડના આ જે પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે તે પછી હાલના જે રાજમાર્ગો તેને ઓછામાં ઓછા 10 મીટર સુધી પહોળા કરવામાં આવશે. વધુમાં તેમાં 13 બાઇપાસ નિર્માણ કરવામાં આવશે. જે બે ટર્નલ પણ હશે અને 25 તેવા મોટા પુલોનું પણ નિર્માણ કરવામાં આવશે.
ચારધામ રાજમાર્ગ વિકાસ કાર્યક્રમ હેઠળ કુલ 900 કિમીના રસ્તાનું નિર્માણ કરાશે. જેના દ્વારા ઉત્તરાખંડના પવિત્ર તીર્થોને એકબીજા સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા એક રીતે ભાજપા સરકારે ઉત્તરાખંડના લોકોને પણ ચૂંટણી પહેલા ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો.