મોદીએ કહ્યું- 'મહારાષ્ટ્ર ગુજરાતનો મોટો ભાઇ છે'
સાંગલી, 5 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીપી સુપ્રીમો શરદ પવાર પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમના ચરિત્રમાં શિવાજીના ગુણ નથી. મોદી મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની સરકારે પ્રદેશની હાલત એકદમ ખરાબ કરી દીધી છે. કૌભાંડોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં તો વિધવાઓના ફ્લેટ પણ લૂટી લેવામાં આવે છે.
શરદ પવાર દ્વારા કરવામા આવી રહેલી ટીકાઓના જવાબમાં પલટવાર કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'તેમને લગભગ ઇતિહાસનું પણ જ્ઞાન નથી, ગુજરાત પહેલા મહારાષ્ટ્રનો જ એક ભાગ હતો. ગુજરાત આજે પણ મહારાષ્ટ્રને પોતાનો મોટો ભાઇ માને છે.'
મહારાષ્ટ્રથી પોતાની ખાસ લાગણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે તેઓ આ ધરતીનું ઋણ ચૂકવવા આવ્યા છે, તેમણે જણાવ્યું 'અત્યાર સુધી ભાજપ ક્યારેય પણ સાંગલી લોકસભા ચૂંટણી નથી જીતી શકી, પરંતુ આ વખતે અમે સાંગલીથી જેટલું માંગ્યું તેના કરતા વધારે મેળવ્યું. સાંગલીના મતદાતાઓને શત-શત નમન.'