નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં સભા સંબોધશે

પાર્ટીને આશા છે કે મોદી આક્રમક રીતે ચૂંટણી રેલી કરે છે જેના ફાયદો ધૂમલને મળી શકે છે અને ફરીથી સત્તા મેળવવાની તક મળી શકે છે. નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં ત્રણ જગ્યાએ જનસભાને સંબોધશે. આ જનસભાને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ગઇકાલે વડાપ્રધાને અહીં રેલી યોજી હતી. વડાપ્રધાન મનમોહન સિંહે હિમાચલ પ્રદેશની ભાજપ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ભાજપના રાજમાં હિમાચલ પ્રદેશ વિકાસની દોડમાં પાછળ રહી ગયું છે. શિમલાથી 200 કિમી દૂર ઉનામાં પ્રથમ રેલીને સંબોધતાં મનમોહન સિંહે કહ્યું કે નહેરૂ-ગાંધી પરિવારને હિમાચલ પ્રદેશ સાથે ખૂબ લગાવ રહ્યો છે અને તેમને હિમાચલ પ્રદેશના વિકાસ માટેઘણું કર્યું છે અને તેમને કહ્યું હતું કે ભાજપના રાજમાં કશું જ થયું નથી.












Click it and Unblock the Notifications
