17 મેના રોજ મોદી જશે કાશી, કરશે ગંગા આરતી
નવી દિલ્હી, 15 મે: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચૂંટણીના સમયે વારાણસીમાં ગંગા આરતીની ઇચ્છા ભલે પૂરી ના થઇ શકી હોય. પરંતુ મોદી પોતાની આ ઇચ્છા પરિણામ જાહેર થયા બાદ કરશે.
મળતી માહીતી અનુસાર લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થયાના એક દિવસ બાદ એટલે કે 17 મેના રોજ નરેન્દ્ર મોદી પોતાના લોકસભા વિસ્તાર વારાણસીમાં જશે. વારાણસીમાં પહોંચ્યા બાદ મોદી ગંગા આરતીમાં સામેલ થશે. જ્યારે આરતી બાદ મોદી વારાણસીના પ્રસિદ્ધ ભગવાન વિશ્વનાથના દર્શન કરવા માટે વિશ્વનાથ મંદિર પણ જશે.

અત્રે નોંધનીય છે કે આ પહેલા વારાણસીમાં મતદાન પહેલા મોદીને બેનિયાબાગમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી ન્હોતી, ત્યાર બાદ મોદીએ ગંગા આરતી પણ ન્હોતી કરી. જોકે હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે પરિણામો ભાજપ તરફી આવે છે કે નહીં, અને જો અપેક્ષા વિરુધ્ધ પરિણામો આપશે તો મોદી પોતાના કાર્યક્રમમાં શો ફેરફાર કરશે એ સમય જ બતાવશે.












Click it and Unblock the Notifications
