"નરેન્દ્ર મોદી PM હોત તો 24 કલાકમાં બદલો લીધો હોત"

બાંકામાં શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓ ભારતીય સીમા પર ફરજ બજાવી રહેલા ભારતીય સેનાના જવાનો સામે પાકિસ્તાની સેનાએ કરેલા ગોળીબાર અને ત્યાર બાદ બે ભારતીય જવાનોના શિરચ્છેદની ઘટના અંગે પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આજે દેશને એક મજબૂત વડાપ્રધાનની જરૂર છે. જો આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોત તો પાકિસ્તાન આવી હિંમત કરી શક્યું ન હોત. આમ છતાં જો પાકિસ્તાન આવી હિંમત કરત તો માત્ર 24 કલાકની અંદર જ અમે લોકો તેનો બદલો લઇ લીધો હોત. તેમણે એમ પણ જણાવ્યું કે નબળાં વડાપ્રધાનના હાથમાં દેશ સુરક્ષિત નથી.
આ સાથે સિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વખાણ કરતા જણાવ્યું કે વાજપેયીના શાસનકાળમાં પાકિસ્તાને દ્વારા કારગિલમાં સૈનિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેનો જડબાતોડ જવાબ આપીને તેમણે દેશની મર્યાદાની સુરક્ષા કરી હતી. આજે ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે. પાકિસ્તાનની સેના દિવસ - રાત ગોળીબાર કરી રહી છે, છતાં કેન્દ્ર સરકાર ચૂપ છે.












Click it and Unblock the Notifications
