મોદીને PMના દાવેદાર ગણાવવા પાછળ વિરોધી દળોનો હાથ : તોગડીયા

ડૉ. પ્રવિણ તોગડીયાએ અહીં સંવાદદાતાઓ સાથેની વાતચીત દરમિયાન આ અંગે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા સંબંધી ચર્ચા વિરોધી દળો દ્રારા કરવામાં આવી રહી છે. કારણ કે ભાજપ અને એનડીએ નબળુ પડે અને તેનો લાભ યૂપીએ ખાંટી શકે. તેમને કહ્યું હતું કે એનડીએને બહુમત મળ્યા બાદ લોકતાંત્રિક પ્રક્રિયાથી વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે.
અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે લોકસભાની ચુંટણી 2014માં છે. અડવાણીને ફરીથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે કે નહી તે વિવાદમાં તે ભાગ લેવા માંગતા નથી.












Click it and Unblock the Notifications
