મહેબુબા મુફ્તીના રાજીનામાં પછી રાજ્યપાલને મળવા પહોંચ્યા ઉમર અબ્દુલ્લા
મંગળવારે જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં જોરદાર બદલાવ આવ્યો છે. મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું છે.
મંગળવારે જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં જોરદાર બદલાવ આવ્યો છે. મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું છે. ભાજપ ઘ્વારા સમર્થન પાછું ખેંચી લીધા પછી મહેબુબા મુફ્તીએ સીએમ પદથી રાજીનામુ આપી દીધું છે. આ દરમિયાન નેશનલ કોન્ફ્રન્સ ઘ્વારા પણ પાર્ટીની બેઠક કરવામાં આવી. બેઠક પછી પાર્ટીના નેતા અને પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ નરેન્દ્ર નાથ વોહરાને મળવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન ઉમર અબ્દુલ્લા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે જે થવાનું હતું, તે જ થયું છે.

જમ્મુ કાશ્મીર સરકારમાંથી ભાજપ હટી ગયા પછી સીએમ મહેબુબા મુફ્તી ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ નરેન્દ્ર નાથ વોહરાને પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. ભાજપ ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી મુફ્તી સરકાર બહુમતથી દૂર થઇ ગયી. ત્યારપછી જમ્મુ કાશ્મીર સીએમ મહેબુબા મુફ્તીએ રાજીનામુ આપી દીધું. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને પીડીપી છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક સાથે સરકારમાં હતા. મંગળવારે બપોરે ભાજપ ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને જમ્મુ કાશ્મીર સરકારથી હટવા અંગે માહિતી આપી.
બીજેપી ઘ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પીડીપી સાથે ગઠબંધન હવે તેમના માટે શક્ય નથી. સીએમ મહેબુબા મુફ્તીના આગ્રહ પર રમઝાન દરમિયાન કેન્દ્ર સરકારે સીઝફાયરની ઘોષણા કરી હતી. રામ માધવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ વર્ષ પહેલા સરકાર બનાવી હતી ત્યારે જનતાનો જનાદેશ વિખંડિત હતો. જમ્મુ કાશ્મીરમાં ભાજપને પૂર્ણરૂપે સમર્થન મળ્યું જયારે પીડીપી બહુમત મેળવી ગયું. એક કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ અમારી સરકાર ચાલી.
તેમને આગળ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મકસદ હતો કે શાંતિ બની રહે અને અહીં સારો એવો વિકાસ થાય. પરંતુ આજે સ્થિતિ ખુબ જ અલગ બની છે. કાશ્મીરમાં કટ્ટરવાદ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દરેક સંભવ મદદ કરી છે. કેન્દ્ર સરકાર ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકારને 80,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ આપવામાં આવ્યું છે.
રામ માધવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહેબુબા મુફ્તી સરકાર કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સંભાળી શક્યા નહીં. સરકાર સતત નિષ્ફળ રહી. સરકારે કામ કર્યું નહીં. આવી પરિસ્થિતિમાં ત્રણ વર્ષ સરકાર ચલાવ્યા પછી આખરે ભાજપે અલગ થવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
