For Quick Alerts
For Daily Alerts
જેડીયુનું બે દિવસનું અધિવેશન આજથી શરૂ
આ બેઠકમાં પ્રધાનમંત્રી પદને લઇને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. નોંધનીય ચે કે નીતિશે હંમેશા જ આ પદ માટે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો છે, તો ભાજપ મોદીની વિકાસ પુરુષની છબીનો લાભ ઉઠાવવા માંગી રહ્યું છે.
તેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે અમે આ મુદ્દે વાતચીત કરીશું. આ અધિવેશનમાં ભાજપ અને જેડીયુના સંબંધોનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. મોદી ફેક્ટર ભાજપ માટે એકમ મોટા લાભ સમાન છે અને જેડીયુ તેની વિરોધમાં છે. જેડીયુ ઇચ્છે છે કે ભાજપ પીએમ પદ માટે પોતાનું વલણ સ્પષ્ટ કરે.
જેડીયુ, એનડીએમાં પોતાના મહત્વ અંગે માહિતગાર છે તેથી તે ભાજપ પર દબાણ વધારવાના શક્ય તેટલા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ આ અધિવેશન પર કોંગ્રેસની નજર પણ છે, કારણ કે ભાજપથી જેડીયુ દૂર થશે તો તેનો લાભ યુપીએને મળી શકે છે.
Comments
jdu bjp narendra modi rajnath singh nitish kumar જેડીયુ બેઠક ભાજપ નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ નીતિશ કુમાર
Story first published: Saturday, April 13, 2013, 12:44 [IST]