2 વર્ષ બાદ મીડિયા સામે આવ્યા નવજોત સિંહ સિદ્ધૂ, ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકારને ઘેરી

2 વર્ષ બાદ મીડિયા સામે આવ્યા નવજોત સિંહ સિદ્ધૂ, ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકારને ઘેરી

પંજાબના દમદાર નેતા નવજોત સિંહ સિદ્ધૂ આજે લાંબા સમય બાદ મીડિયા સામે આવ્યા. સિદ્ધૂએ આ દરમ્યાન કૃષિ કાયદાને લઈ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. સાથે જ પંજાબ સરકારના મુખિયા કેપ્ટન અમરિંદર સિંહને પણ આડેહાથ લીધા. તેમણે પંજાબમાં તેલીબિયાં અને કઠોળની ખરીદી માટે કેપ્ટન સરકાર પર નિશાન સાધ્યું. ચંદીગઢના પંજાબ ભવનમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આખરે પંજાબ સરકાર દાળ અને તેલીબિયાં પર ખેડૂતોને એમએસપી કેમ નથી આપી રહી.

navjotsingh siddhu

પોતાની સરકાર વિરુદ્ધ બોલતાં સિદ્ધૂએ મંત્રિમંડળથી રાજીનામું આપ્યાના લગભગ બે વર્ષ બાદ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ માત્ર કેન્દ્રીય કૃષિ કાયદા અને ખેતી કરતા ખેડૂતોની વાત કરવા આવ્યા છે. આ દરમ્યાન તેમણે હરિયાણાનો નમૂનો રજૂ કરતા કહ્યું કે સરકાર અનાજની ખરીદી પર મોટી રકમ ખર્ચ કરી રહી છે. હરિયાણા સરકાર તેલીબિયાં ખરીદી રહી છે અને તેમાંથી તેલ વેચી રહી છે. આના પર એમએસપી કેમ ના આપી શકે. તેમણે કહ્યું કે ખેડૂતો જૈવિક ખેતી માટે તૈયાર છે, પરંતુ ઓછામાઓછું કોઈને સમર્થન કરવા માટે આગળ આવવું જોઈએ. સિદ્ધૂએ કહ્યું કે ખેડૂતોને મનરેગાની જેમ ન્યૂનતમ સમર્થન આવકની પણ જરૂરત છે.

જ્યારે પંજાબ સહિત દેશભરમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનનું સમર્થન કરતાં સિદ્ધૂએ કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં રાખી કેન્દ્ર સરકારે પરત લેવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોએ કેન્દ્ર સરકારના કાયદાને નકારી દીધા છે. જણાવી દઈએ કે કેપ્ટન સરકારથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધૂએ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી, આજે 2 વર્ષ બાદ તેઓ પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X