2 વર્ષ બાદ મીડિયા સામે આવ્યા નવજોત સિંહ સિદ્ધૂ, ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકારને ઘેરી
2 વર્ષ બાદ મીડિયા સામે આવ્યા નવજોત સિંહ સિદ્ધૂ, ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકારને ઘેરી
પંજાબના દમદાર નેતા નવજોત સિંહ સિદ્ધૂ આજે લાંબા સમય બાદ મીડિયા સામે આવ્યા. સિદ્ધૂએ આ દરમ્યાન કૃષિ કાયદાને લઈ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. સાથે જ પંજાબ સરકારના મુખિયા કેપ્ટન અમરિંદર સિંહને પણ આડેહાથ લીધા. તેમણે પંજાબમાં તેલીબિયાં અને કઠોળની ખરીદી માટે કેપ્ટન સરકાર પર નિશાન સાધ્યું. ચંદીગઢના પંજાબ ભવનમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આખરે પંજાબ સરકાર દાળ અને તેલીબિયાં પર ખેડૂતોને એમએસપી કેમ નથી આપી રહી.

પોતાની સરકાર વિરુદ્ધ બોલતાં સિદ્ધૂએ મંત્રિમંડળથી રાજીનામું આપ્યાના લગભગ બે વર્ષ બાદ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ માત્ર કેન્દ્રીય કૃષિ કાયદા અને ખેતી કરતા ખેડૂતોની વાત કરવા આવ્યા છે. આ દરમ્યાન તેમણે હરિયાણાનો નમૂનો રજૂ કરતા કહ્યું કે સરકાર અનાજની ખરીદી પર મોટી રકમ ખર્ચ કરી રહી છે. હરિયાણા સરકાર તેલીબિયાં ખરીદી રહી છે અને તેમાંથી તેલ વેચી રહી છે. આના પર એમએસપી કેમ ના આપી શકે. તેમણે કહ્યું કે ખેડૂતો જૈવિક ખેતી માટે તૈયાર છે, પરંતુ ઓછામાઓછું કોઈને સમર્થન કરવા માટે આગળ આવવું જોઈએ. સિદ્ધૂએ કહ્યું કે ખેડૂતોને મનરેગાની જેમ ન્યૂનતમ સમર્થન આવકની પણ જરૂરત છે.
જ્યારે પંજાબ સહિત દેશભરમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનનું સમર્થન કરતાં સિદ્ધૂએ કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં રાખી કેન્દ્ર સરકારે પરત લેવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોએ કેન્દ્ર સરકારના કાયદાને નકારી દીધા છે. જણાવી દઈએ કે કેપ્ટન સરકારથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધૂએ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી, આજે 2 વર્ષ બાદ તેઓ પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યા છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
