અભિનંદનની મુક્તિ પર સિદ્ધુએ ફરી આપ્યુ પાક અંગે નિવેદન, જાણો હવે શું કહ્યુ?
કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વાર ફરીથી એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ શરૂ થઈ ગયો છે.
ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-16ને તોડી પાડનાર ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ પાયલટ અભિનંદન વર્ધમાનને પાકના પીએમ ઈમરાન ખાને મુક્ત કરવાનું એલાન કર્યુ છે. અભિનંદનને પાકિસ્તાને એ સમયે પકડી લીધા હતા જ્યારે તેમનુ મિગ-21 વિમાન પાકના એફ-16 ને ઠાર કર્યા બાદ તેમની સીમામાં ક્રેશ થઈ ગયુ હતુ. ત્યારબાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં એલાન કર્યુ કે તે શાંતિની પહેલ તરીકે ભારતના પાયલટને મુક્ત કરશે. પાકિસ્તાનના આ પગલાંને ભારતની કૂટનીતિક સફળતા તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વાર ફરીથી એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ શરૂ થઈ ગયો છે.

જાણો સિદ્ધુએ શું કહ્યુ?
ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાના એલાન બાદ નવજોત સિંહ સિદ્ધુએ ફરીથી એક વાર પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવા પર જોર આપ્યુ. ‘આપણી પાસે એક વિકલ્પ છે' શીર્ષક સાથે જાહેર કરેલા પોતાના બે પાનાંના નિવેદનમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘હું પોતાના આ વિશ્વાસ સાથે દ્રઢતા સાથે ઉભો છુ કે સીમાની અંદર અને બહાર ચાલતી આતંકી સંગઠનોની ઉપસ્થિતિ અને ગતિવિધિઓનું દીર્ઘકાલિન સમાધાન શોધવામાં વાતચીત અને કૂટનીતિક દબાણ એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આતંકનું સમાધાન શાંતિ, વિકાસ અને પ્રગતિ છે ના કે બેરોજગારી, નફરત અને ડર.'
|
‘ડર માત્ર ડરને જન્મ આપે છે'
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘આજે સીમાની બંને તરફ રણનીતિકાર એકબીજાને આઘાત પહોંચાડવાની તૈયારીમાં છે. તેમને લાગે છે કે એકબીજાને હાનિ પહોંચાડીને તે પોતાને સુરક્ષિત રાખી શકે છે પરંતુ આ મૃગ તૃષ્ણા જેવુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક અજાણ્યો ડર આપણી વચ્ચે પગ જમાવી રહ્યો છે. આ ડર છે આતંકનો, મોતનો, અસુરક્ષાનો, એક અનિચ્છીત અસુરક્ષાના ભાવનો. દેશમાં અમુક લોકો માટે હવે ડરવાનું કોઈ કારણ નથી બચ્યુ કારણકે તેમનો ડર હવે હકીકતનું રૂપ લઈ ચૂક્યો છે. શહીદોના પરિવારોના ચહેરા પર પણ મે એ ડરને જોયો અને અનુભવ્યો છે. ડર માત્ર ડરને જન્મ આપે છે. આજે દેશભરમાં દરેક જગ્યાએ ડરનો માહોલ છે. બીજાને હાનિ પહોંચાડવાની વાત વિચારવી સરળ છે પરંતુ આ વિચાર આપણને સુરક્ષિત ન કરી શકે.'

‘મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ'
સિદ્ધુએ આગળ કહ્યુ, ‘હું એક સ્વતંત્રતા સેનાનીનો દીકરો છુ, જે પોતાના દેશ સાથે ઉભો છે. મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ છે જે આ ડર સામે સામી છાતીઓ ઉભો છે. એ ડર જેના કારણે આજે ઘણા લોકો મૌન ધારણ કરેલા છે. હું પોતાના સિદ્ધાંતો પર પૂર્ણતઃ કાયમ છુ કે અમુક લોકોના ખોટા કામોના કારણે સમગ્ર સમુદાયને ખોટા ઠેરવવા યોદ્ય નથી. હાલમાં જ આપણા પ્રધાનમંત્રીએ પણ કહ્યુ કે આપણી લડાઈ આતંકવાદ અને માનવતાના દુશ્મનો સામે છે. આપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નથી. વિદેશ મંત્રીનું પણ કહેવુ હતુ કે આપણી લડાઈ પાકિસ્તાન સામે નથી, આપણી લડાઈ આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારા વિચારો સામે છે.' સિદ્ધુના આ નિવેદન માટે પણ વિવાદ શરૂ થઈ ગયો છે.

‘આતંકવાદનો ના કોઈ ધર્મ, ના કોઈ દેશ'
તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા બાદ પત્રકારોએ જ્યારે નવજોત સિંહ સિદ્ધુ સાથે પાકિસ્તાનની ભૂમિકા અંગે સવાલ પૂછ્યા તો તેમણે કહ્યુ હતુ, ‘આતંકવાદનો ના કોઈ ધર્મ હોય છે અને ના કોઈ દેશ. મુઠ્ઠીભર લોકો માટે શું તમે આખા દેશને દોષી ગણી શકો કે કોઈ વ્યક્તિને દોષી ગણી શકો છો. પુલવામા હુમલો એક કાયર હરકત છે અને હું આની કડક નિંદા કરુ છુ.' નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદનથી ઘણો હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર પણ તેમના નિવેદનથી ઘણી બબાલ મચી. તેમના નિવેદનથી નારાજ લોકોએ કપિલ શર્માના શોમાંથી બહિષ્કાર કરવાની ધમકી આપીને સિધ્ધુને શોમાંથી બહાર કરવાની માંગ કરી. ફેન્સના ગુસ્સાનો જોતા સોની ટીવીએ સિદ્ધુને કપિલ શર્મા શોમાંથી બહાર કરી દીધા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
