અમૃતસરમાં સિદ્ધૂની ગર્જના: કહ્યું 'હાથી ચાલે છે ત્યારે કૂતરાઓ ભસે છે!'
અમૃતસર, 4 સપ્ટેમ્બર : ભાજપના રંગીલા અંદાજના નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ લાંબા સમયના અંતરાલ બાદ ફરી રાજનીતિના મેદાનમાં સક્રિય થયા છે અને વિરોધી પાર્ટી સામે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરવા લાગ્યા.
પોતાના લોકસભા વિસ્તાર અમૃતસરથી છેલ્લા લાંબા સમયથી અદ્રશ્ય રહેલા નવજોત સિંહ સિદ્ધૂ બુધવારે અમૃતસર પહોંચ્યા અને વિરોધી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા. નવજોત સિંહ સિંદ્ધૂએ કોંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું કે જે લોકો છેલ્લા ચાર વખથી ચૂંટણી હારી જતા હોય તેમને જવાબ શા માટે આપવો જોઇએ?
નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્દૂ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં વ્યસ્ત દેખાઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના લોકસભા વિસ્તાર અમૃતસરમાં દેખાયા ન્હોતા, જેના કારણે અમૃતસરમાં તેમના ગૂમ થવા અંગેના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. સિદ્ધૂએ સ્પષ્ટતા કરી કે તેઓ ગુરુવારે એક પત્રકાર પરિષદ કરીને દરેક પ્રશ્નોનો જવાબ આપશે.