For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૃતસરમાં સિદ્ધૂની ગર્જના: કહ્યું 'હાથી ચાલે છે ત્યારે કૂતરાઓ ભસે છે!'

|
Google Oneindia Gujarati News

અમૃતસર, 4 સપ્ટેમ્બર : ભાજપના રંગીલા અંદાજના નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ લાંબા સમયના અંતરાલ બાદ ફરી રાજનીતિના મેદાનમાં સક્રિય થયા છે અને વિરોધી પાર્ટી સામે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરવા લાગ્યા.

પોતાના લોકસભા વિસ્તાર અમૃતસરથી છેલ્લા લાંબા સમયથી અદ્રશ્ય રહેલા નવજોત સિંહ સિદ્ધૂ બુધવારે અમૃતસર પહોંચ્યા અને વિરોધી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા. નવજોત સિંહ સિંદ્ધૂએ કોંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું કે જે લોકો છેલ્લા ચાર વખથી ચૂંટણી હારી જતા હોય તેમને જવાબ શા માટે આપવો જોઇએ?

navjot
ઉલ્લેખનીય છે કે છેલ્લા બેત્રણ અઠવાડિયા પહેલા અમૃતસરમાં નવજોત સિંહ સિદ્ધૂના ગૂમ થવા અંગેને પોસ્ટરો લગાવાયા હતા, જેમાં સિદ્ધૂને પરત લાવનારને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાનું લખવામાં આવ્યું હતું. આ ઘટના પર ગર્જના કરતા સિદ્ધૂએ જણાવ્યું કે હાથી જ્યારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે કૂતરાઓ ભસતા જ હોય છે.

નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્દૂ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં વ્યસ્ત દેખાઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના લોકસભા વિસ્તાર અમૃતસરમાં દેખાયા ન્હોતા, જેના કારણે અમૃતસરમાં તેમના ગૂમ થવા અંગેના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. સિદ્ધૂએ સ્પષ્ટતા કરી કે તેઓ ગુરુવારે એક પત્રકાર પરિષદ કરીને દરેક પ્રશ્નોનો જવાબ આપશે.

English summary
Navjot singh sidhu return to home and fire on opposition party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X