અયોધ્યાના કવરેજ પર NBSAની એડવાઈઝરી, ટીવી ચેનલ્સને સખ્ય નિર્દેશ આપ્યો
અયોધ્યાના કવરેજ પર NBSAની એડવાઈઝરી, ટીવી ચેનલ્સને સખ્ય નિર્દેશ આપ્યો
નવી દિલ્હીઃ દેશના સૌથી ચર્ચિત મામલામાંથી એક રામ જન્મભૂમિ વિવાદની સુનાવણી આજે 40મા દિવસે પૂર્ણ થઈ ગઈ છે. તમામ પક્ષોની દલીલો પૂરી થવાની સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે કેટલીક અન્ય અરજીઓ પર સુનાવણી કરવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે બહુ થયું, સાંજે 5 વાગ્યે આ મામલે સુનાવણી પૂર્ણ થઈ જશે. સુનાવણી દરમિયાન પહેલા હિન્દુ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી જે બાદ મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી. જ્યારે કોર્ટમાં ચાલી રહેલ સુનાવણી દરમિયાન ન્યૂજ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઑથોરિટીએ અયોધ્યા કેસના કવરેજને લઈ એક એડવાઈઝરી જાહેર કરી છે.

ન્યૂજ બ્રૉડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઑથૉરિટીએ એડવાઈઝરી જાહેર કરતા કહ્યું કે અયોધ્યા મામલામાં અદાલતી કાર્યવાહીને લઈ અટકળો ન લગાવો. સુનાવણઈ સાથે જોડાયેલ તથ્યો જ રજૂ કરવાં, મસ્જિદ વિધ્વંસના ફૂટેજનો ઉપયોગ ના કરવો, કોઈપણ હાલમાં જશ્ન વગેરેના દ્રશ્યો પ્રસારણ ન કરવામાં આવે. ટીવી ડિબેટમાં ભડકાઉ ભાષણો પ્રસારિત કરવામાં ન આવે.












Click it and Unblock the Notifications
