NEET Controversy : પેપર લીક કાયદો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ-કોંગ્રેસ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની શિક્ષણને માફિયાઓને હવાલે કરવાની નીતિઓને કારણે દેશમાં સતત પેપર ફુટી રહ્યાં છે. હવે આ મુદ્દે વિપક્ષ હમલાવર છે
નરેન્દ્ર મોદી સરકાર પેપર લીકની ભુલ ઢાંકવા માટે પેપર લીક વિરોધી કાયદો લઈને આવી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ કાયદો અનેક કૌભાંડો બાદ લાગુ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, આ ડેમેજ કંડ્રોલનું પગલુ છે. કૉંગ્રેસે શનિવારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓને રોકવા માટે કાયદો લાગુ કરવાના નિર્ણયની ટીકા કરી.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, કાયદો પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 ઘણા કૌભાંડો પછી ઘડવામાં આવ્યો અને તેને ડેમેજ કંટ્રોલ માટે લાવવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG અને UGC-NETમાં કથિત અનિયમિતતાઓને લઈને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ વિવાદ અને પેપર લીકના અહેવાલો વચ્ચે, કેન્દ્રએ શુક્રવારે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) અધિનિયમ 2024 લાગુ કર્યો.
આ કાયદાનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવાનો છે અને અપરાધીઓને મહત્તમ 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.












Click it and Unblock the Notifications
