NEET-PG Entrance Exam 2024 : NEET અને NET બાદ NEET-PG પરિક્ષા રદ, જાણો કેમ?
NEET-PG Entrance Exam 2024 : દેશમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે પરિક્ષાઓને મજાક બનાવી દીધી છે. આ વાતનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.
શનિવારે મોડી રાત્રે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 23 જૂને યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. મંત્રાલયે પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની અખંડિતતા અંગેના આક્ષેપોની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે તબીબી વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાઓની મજબૂતાઈનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય વિદ્યાર્થીઓને થયેલી અસુવિધા માટે દિલથી દિલગીર છે. વિદ્યાર્થીઓના હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
NEET-PG પ્રવેશ પરીક્ષા એ ત્રીજી આવી સ્પર્ધાત્મક પરીક્ષા છે જેને છેલ્લા ત્રણ દિવસમાં રદ અથવા મુલતવી રાખવામાં આવી છે. ગુરુવારે શિક્ષણ મંત્રાલયે UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી, જે મદદનીશ પ્રોફેસરશિપ, જુનિયર રિસર્ચ ફેલોશિપ અને ભારતીય યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોગ્યતા નક્કી કરવા માટે લેવામાં આવે છે.
શુક્રવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અનિવાર્ય સંજોગો અને લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે CSIR UGC-NET પરીક્ષા મુલતવી રાખી હતી. તે લોજિસ્ટિક્સ સમસ્યાઓને કારણે મુલતવી રાખવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
