આઝાદીના અમૃત મહોત્સવની જાહેરાતમાંથી નહેરુ 'આઉટ', સાવરકરની એન્ટ્રી
કર્ણાટક સરકારની 'હર ઘર તિરંગા'ની જાહેરાતે નવો વિવાદ ઉભો કર્યો છે.
નવી દિલ્લીઃ કર્ણાટક સરકારની 'હર ઘર તિરંગા'ની જાહેરાતે નવો વિવાદ ઉભો કર્યો છે. અહીં રાજ્ય સરકારે પીએમ મોદીના 'હર ઘર ત્રિરંગા' વિશે અખબારમાં જાહેરાત આપી છે. જેના પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. પોસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સ્થાન આપવામાં આવ્યુ નથી. જ્યારે જાહેરાતમાં અન્ય નેતાઓ સાથે વીર સાવરકરની તસવીર છપાઈ છે.

કર્ણાટક સરકાર તરફ પીએમ મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનના સમર્થનમાં દેશની આઝાદીમાં મોટી ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સ્થાન આપવામાં આવ્યુ નથી. જ્યારે જાહેરાતમાં વિનાયક સાવરકરની તસવીર છપાયેલી છે. આ જાહેરાત કર્ણાટક સરકાર દ્વારા 14 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.
હવે કર્ણાટક સરકારની આ જાહેરાત પર કોંગ્રેસે પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ રાજ્યની ભાજપ સરકારની રાજકીય પ્રેરિત ચાલ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને કર્ણાટકના વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સહિતના કોંગ્રેસના નેતાઓએ જાહેરાતમાં સાવરકરની તસવીર સામેલ કરવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને બરતરફ કરવા જોઈએ.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોતાના ટ્વીટમાં લખ્યુ, 'નહેરુ સાથે આ પ્રકારની ક્ષુદ્રતા. કર્ણાટકના સીએમ પોતાની ખુરશી બચાવવા માટે આતુર છે, જાણે છે કે તેમણે જે કર્યુ છે તે તેમના પિતા એસઆર બોમાઈ અને તેમના પિતાના પ્રથમ રાજકીય ગુરુ એમએન રોયનુ અપમાન છે. બંને મહાન નેહરુ પ્રશંસક, બાદમાં મિત્રો પણ છે. આ દયનીય છે'. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યુ કે ભારતીય લોકશાહીમાં આ શરમજનક બાબત છે. ભારત આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. સીએમ બસવરાજ બોમાઈને બરતરફ કરવા જોઈએ.
ભાજપના પ્રવક્તા રવિ કુમારે કહ્યુ કે નેહરુના કારણે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા છે એટલા માટે અખબારમાંથી તેમની તસવીર હટાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યુ, 'સરદાર વલ્લભભાઈ પટેલે આપણી આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો તેથી તેમની તસવીર સામેલ કરવામાં આવી હતી. ઝાંસીની રાણી, ગાંધી અને સાવરકર પણ ત્યાં છે. નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ આપણી આઝાદી માટે લડ્યા હતા પરંતુ તેઓએ આપણા દેશના ભાગલા પાડ્યા હતા.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
