ભડક્યા 'ભારત રત્ન' પ્રો. રાવ, નેતાઓને ગણાવ્યા 'મૂર્ખ'
નવી દિલ્હી, 18 નવેમ્બર: ભારત રત્નથી સન્માનવામાં આવનાર જાણીતા વૈજ્ઞાનિક પ્રો. રાવે નેતાઓ પર ટિપ્પણી કરીને વિવાદ ઊભો કરી દીધો છે. સીએનઆર રાવે વૈજ્ઞાનિક કાર્યો માટે ઓછું ફંડ આપવા માટે નેતાઓ પર તીખી ટિપ્પણી કરી છે. એક પ્રેસ કોન્ફ્રેન્સમાં પ્રો. રાવે નેતાઓને મૂર્ખ ગણાવ્યા છે.
ભારત રત્નથી સન્માનીત કરવા માટે જાહેરાત થયા બાદ રવિવારે પ્રેસ કોંફ્રેન્સમાં વડાપ્રધાનના સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના પ્રમુખ પ્રો. રાવે આ વાત પર પ્રકાશ પાડ્યો. રાવે જણાવ્યું કે રિસર્ચ માટે હજી વધારે ધનરાશિ ફાળવવી જોઇએ. રાવે જણાવ્યું કે રિસર્ચ સેક્ટર માટે સરકારે જે ફંડ આપ્યું હતું અમે તેનાથી વધારે કામ કરી બતાવ્યું છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રિસર્ચના સ્ટાન્ડર્ડ પર તેઓ શું વિચારે છે તો પ્રો. રાવે રોષે ભરાઇને જણાવ્યું કે આ મૂર્ખ લોકો આપણા નેતાઓ અમને આટલું ઓછું નાણું શા માટે આપે છે. તેમ છતાં અમે વૈજ્ઞાનિકોએ ઘણું બધું કરીને બતાવ્યું છે. અમારી પણ ખૂબ જ ઓછું રોકાણ કરવામાં આવે છે, એવું ના થવું જોઇએ. જોકે આપણા વૈજ્ઞાનિકોએ ઓછા ફંડમાં પણ સારૂ કામ કરી બતાવ્યું છે.