Nirbhaya Case: નિર્ભયાના દોષિતોને 20 માર્ચે ફાંસીએ અપાશે
Nirbhaya Case: નિર્ભયાના દોષિતોને 20 માર્ચે ફાંસીએ અપાશે
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિતો વિરુદ્ધ ગુરુવારે ચોથું ડેથ વોરન્ટ જાહેર કરી દેવામાં આવ્યું. તિહાર જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિતોને દિલ્હીની અદાલતે 20 માર્ચ 2020ના રોજ સવારે 5.30 વાગ્યે ફાંસીએ લટકાવવાના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે ફરિયાદી પક્ષ દ્વારા બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી નવું ડેથ વોરન્ટ જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો જેના પર આજે કોર્ટે સુનાવણી કરી છે.

જણાવી દઈએ કે અગાઉ ત્રણ વખત નિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ નીકળી ચૂક્યું હતું. જો કે વિવિધ કાનૂની દાવપેચ અપનાવી નિર્ભયાના ચારેય દોષિતો ફાંસીની સજાથી આજ સુધી બચતા આવ્યા હતા પરંતુ હવે આ છેલ્લું ડેથ વોરન્ટ છે કેમ કે નિર્ભયાના એકેય દોષિતો પાસે હવે બચવા માટે એકેય કાનૂની હથકંડા બચ્યા નથી. ત્યારે 20મી માર્ચે ભારતની ધરતી પરથી ચાર નરાધમો ઓછા થશે તે ફાઈનલ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
