News In Brief: નેતાજી માટે ભારત રત્ન નથી ઇચ્છતો તેમનો પરિવાર

દિવસભરના મુખ્ય સમાચારો આ પ્રમાણે છે...
- ભારતમાં જીવલેણ ઇબોલા વાયરસગ્રસ્ત એક દર્દી ચેન્નાઇ એરપોર્ટ પરથી મળી આવ્યો છે. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ આફ્રિકાથી ચેન્નાઇ આવ્યો હતો.
- ઇરાનમાં એક નાનુ યાત્રી વિમાન રાજધાની તેહરાનના મેહરાબાદ હવાઇ મથકની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. દુર્ઘટના સમયે વિમાનમાં ક્રૂમેમ્બર સહિત 48 લોકો સવાર હતા, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇરાની સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં તમામ લોકોના મોત થઇ ગયા છે.
- ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે સારુ થયું ત્રણ દિવસમાં જ મેચ હારી ગયા હવે બે દિવસ આરામ માટે મળશે.
- ગાઝા પર ઇઝરાઇલી જેટો દ્વારા હુમલા જારી છે, જ્યારે સંઘર્ષ વિરામ માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે.
- અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબાએ ચેતાવણી આપી છે કે ઇરાકને ઝેહાદી સુન્ની ઉગ્રવાદીઓથી મુક્ત કરાવવા અને દેશને સ્થિર કરવામાં થોડો સમય લાગી શકે છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે દેશની બહેનો અને બાળકોએ રાખડી બાંધી હતી. જ્યારે શાકભાજીઓના ભાવ આસમાને ચડવાના કારણે વડોદરાની કોંગ્રેસી કાર્યકરે નરેન્દ્ર મોદીને ટામેટાવાડી રાખડી મોકલાવી છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના લદ્દાખના લેહ જિલ્લાની યાત્રા દરમિયાન 12 ઓગષ્ટના રોજ સિયાચિન ગ્લેશિયર જઇ શકે છે.












Click it and Unblock the Notifications
