#Newskimaut : શ્રીદેવીની મોત પર "સનસનીખેજ ખબર" આપનાર પર ભડક્યા લોકો
શ્રીદેવીની મોત પર સેન્સેશનલ રિપોર્ટિંગ કરનાર અનેક ચેનલોના વિરોધમાં લોકોએ સોશ્યલ મીડિયા પર #Newskimaut જેવા હેશટેગ સાથે આ વાતનો વિરોધ કરતા પોતાની ભડાસ નીકાળી હતી. વધુ વાંચો અહીં
બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું દુબઇમાં ગત શનિવારે નિધન થયું છે. પહેલા તેમ જાણવા મળ્યું હતું કે તેનું મોત હાર્ટઅટેકથી થયું છે. પાછળથી વધુ રિપોર્ટ આવતા દુર્ધટનાપૂર્વક તે બાથટબના પડી જવાના કારણે ડૂબીને માર્યા હોવાની ખબર આવી હતી. આ પછી જ ભારતભરના અનેક ચેનેલો તેમની મોતના રહસ્યને લઇને સનસનીખેજ ખુલાસા અને ખબરોને બતાવીને રિપોટિંગ કરવા લાગ્યા હતા. કોઇએ શંકાની સોય બોની કપૂર તરફ કરી. કોઇએ કહ્યું કે તે સર્જરી કરાવી રહી હતી અને દવાઓની આડઅસર અને દારૂના નશાના કારણે આવું થયું. વળી તેમાં એવી પણ જાણકારી આવવા લાગી કે શ્રીદેવી દારૂ પીતી નથી તો પછી તેમના લોહીના નમૂનામાં ઓલ્કોહોલ હોવાની વાત ક્યાંથી આવી.
Can we please have some stringent rules on what is being shown on tv in form of news and debates by so called news channel.They are worst than some pathetic tv shows.#NewsKiMaut.Please show some sensibility and empathy to the person who died and to his family esp the daughters.
— Minhaaz (@Minhaaz1) February 26, 2018
આવી તમામ અટકળો અને લાંબી ચર્ચાઓએ શ્રીદેવીના ચાહકોનું મન ખૂબ જ દુભાવ્યું. પહેલાથી જ દુબઇથી ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત ના આવ્યું હોવાના દુખની વચ્ચે તેમની માનીતી અભિનેત્રી પર આક્ષેપ પ્રતિઆક્ષેપ અને ચારિત્ર્ય પર પણ સવાલ ઊભા થયા શ્રીદેવીના ચાહકો અને શુભેચ્છકોએ તેમનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર નીકાળ્યો.
Journalism Has Stooped To A New Low Over The TRP Hungry Reporting Of #SrideviDeathMystery. #RIPJournalism 🙏#NewsKiMaut #Sridevi pic.twitter.com/mYarpxt1zb
— Sir Ravindra Jadeja (@SirJadeja) February 26, 2018
શ્રીદેવીની મોત પર સેન્સેશનલ રિપોર્ટિંગ કરનાર અનેક ચેનલોના વિરોધમાં લોકોએ સોશ્યલ મીડિયા પર #Newskimaut જેવા અલગ અલગ હેશટેગ સાથે આ વાતનો વિરોધ કરતા પોતાની ભડાસ નીકાળી હતી. સાથે જ લોકોએ કોઇની મોત પછી તેની મોત પર આવો વિવાદ ઊભો કરવા મામલે પણ મીડિયા અને ન્યૂઝ ચેનલને ખરીખોટી સંભળાવવામાં બાકી નહતું રાખ્યું. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની મોત પછી હાલ પણ દુબઇમાં તપાસ ચાલી રહી છે. અને તપાસ પૂર્ણ થશે અને દુબઇની સરકારને તમામ વસ્તુઓનો સંતોષકારક જવાબ મળશે તે પછી જ તે શ્રીના પાર્થિવ દેહને મુંબઇ મોકલવાની આગળની કાર્યવાહી કરશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
