હૈદરાબાદ બ્લાસ્ટની માહિતી આપનારને NIA 10 લાખનું ઇનામ આપશે

hyderabad-blast
હૈદરાબાદ, 19 માર્ચ : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 21 ફેબ્રુઆરી, 2013ના રોજ હૈદરાબાદના દિલસુખનગરમાં ટ્વિન બ્લાસ્ટ કરીને 17 લોકોના જીવ લેનારા અને 100થી વધારે લોકોને ઘાયલ કરનારા આરોપીઓ અંગે કોઇ પણ માહિતી આપનારને રૂપિયા 10 લાખનું ઇનામ આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયના નિર્દેશોને આધારે એનઆઈએ આ કેસમાં તપાસ કરી રહી છે. આ કેસમાં હૈદરાબાદ પોલીસ અને આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા 14 માર્ચ, 2013ના રોજ એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. આરોપીઓ અંગેની માહિતી ઇ-મેઇલ કે ટેલિફોન કોલ દ્વારા આપી શકાશે. આ અંગેની વિગતો એનઆઇએની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. માહિતી આપનારની ઓળખ છૂપી રાખવામાં આવશે.

આ કેસની નોંધણી બાદ એનઆઇએના ડાયરેક્ટર દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં એનઆઇએના અધિકારીઓ ઉપરાંત આંદ્રપ્રદેશ પોલીસના અધિકારીઓ પણ સામેલ છે. આ કેસમાં સીટ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે આ કેસમાં બ્લાસ્ટ માટે કયું સંગઠન જવાબદાર છે તે અંગે કોઇ નક્કર માહિતી મળી શકી નથી. આ ઉપરાંત કેસમાં હજી સુધી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X