Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'મહાબોધિ મંદિર પાછળ નવું આતંકી મોડ્યુલ'

bodhgaya-nia
બોધગયા, 11 જુલાઇઃ બિહારના બોધગયા મંદિરમાં થયેલા વિસ્ફોટમાં કોઇ નવું આતંકવાદી મોડ્યુલ સામેલ હોઇ શકે છે, કારણ કે, ઘટનાસ્થળેથી જે આઇઇડીમાં વિસ્ફોટ નહોતો થયો તે એ આઇઇડીને નથી મળી આવતા જેનો ઉપયોગ દેશમાં પહેલા થયેલા આતંકવાદી હુમલામાં કરવામાં આવ્યો હતો. આ માહિતી એનઆઇએના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

આતંકવાદીઓને પકડવા માટે તપાસ કરી રહેલી એનઆઇએ આઇઇડી બનાવવાની રીતને છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિસ્ફોટોમાં બનાવવામાં આવેલા આઇઇડીની રીત સાથે મેળવી રહ્યાં છે, જેથી માલુમ પડે કે બોધગયામાં જે વિસ્ફોટ થયો છે, તેમાં કયુ મોડ્યુલ હતું તે જાણી શકાય.

સૂત્રોએ કહ્યું કે, મહાબોધિ મંદિરમાં વિસ્ફોટના મામલે આઇઇડી છેલ્લા એકપણ વિસ્ફોટને મળતી આવતી નથી, જેનાથી એવા સંકેત મળી રહ્યાં છે કે, આ હુમલોને અંજામ કોઇ નવા મોડ્યુલ દ્વારા આપવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું છે કે, તપાસ અધિકારીઓનું આ પ્રારંભિક આકલન છે અને વધુ તપાસથી તસવીર સ્પષ્ટ થઇ શકશે.

નોંધનીય છે કે, રવિવારે મહાબોધિ મંદિરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ મામલે એનઆઇએએ બુધવારે એક મામલો દાખલ કર્યો છે. આ હુમલામાં બે બોદ્ધ સાધુને ઇજા પહોંચી હતી. મામલો દાખલ કર્યા બાદ એનઆઇએએ સીસીટીવી ફુટેજ જપ્ત કરી લીધા છે અને જે ત્રણ આઇઇડીમાં વિસ્ફોટ નથી થયા તેમાંથી ફિંગરપ્રીન્ટ મેળવવા માટે ફોરેન્સિક વિશેષજ્ઞોની મદદ લઇ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X