NIAની આતંકવાદ વિરૂદ્ધ મોટી એક્શન, એક સાથે 14 જગ્યાઓ પર દરોડા
NIAએ દેશમાં 14 જગ્યાઓ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં આ દરોડા પાડ્યા છે.
નવી દિલ્હી : આતંકવાદને લઈને NIA સતત એક્શનમાં જોવા મળી રહી છે. હવે ફરી એક વખત NIAએ દેશમાં 14 જગ્યાઓ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં આ દરોડા પાડ્યા છે અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. NIAએ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને અન્ય ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોના સ્થળો પર આ સર્ચ ઓપરેશન હાથ કરાયુ છે.

સામે આવેલી વિગતો અનુસાર, એએનઆઈએને આ દરોડામાં ઘણા મહત્વના દસ્તાવેજો મળ્યા છે અને તેમાં દેશ વિરોધી ગતિવિધિ સાથે જોડાયેલા કેટલાક મહત્વના દસ્તાવેજો પણ સામેલ છે. આનાથી પંજાબમાં માહોલ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા. આ હસ્તાવેજોમાં બોર્ડર પારથી હથિયારો સ્મગલિંગ કરવા સંબંધિત દસ્તાવેજો પણ સામેલ છે. આ હથિયારો આતંકવાદી સંગઠનોના લોકો સુધી પહોંતી રહ્યા હતા.
NIAના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ અને ગેંગસ્ટરોને હથિયારો અને પૈસાની સપ્લાય કરવામાં આવતી હતી, ત્યારબાદ આ સાંઠગાંઠમાં સામેલ આતંકવાદીઓ અને ગેંગસ્ટરો દેશના અલગ-અલગ ભાગોમાં ખતરનાક ઘટનાઓને અંજામ આપતા હતા. મળતી વિગતો અનુસાર દેશના વિવિધ ભાગોમાં ટાર્ગેટ કિલિંગ સાથે સાથે બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર પણ ઘડી રહ્યા હતા. NIA દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો અને હાલ તપાસ ચાલી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
