મરિન્સ કેસની તપાસ એનઆઇએના હાથમાં સોંપવામાં આવી

આ કેસની તપાસમાં એનઆઇએ ખાસ ધ્યાન રાખશે કે મરિન્સ કેસની તપાસ ભારતીય કાયદા મુજબ થાય, જેના કારણે ઇટાલી સાથેની આંતરારાષ્ટ્રીય સંબંધો પર તેની અસર પડે નહીં. આ અગત્યનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે એમ લાગ્યું કે બે સ્થાનિક માછીમારોની હત્યા અંગે કેરાલા પોલીસે નોંધેલો કેસ કાયદાકીય રીતે મજબૂત રહ્યો નથી અને તેની તપાસ કોર્ટમાં થઇ શકશે નહીં. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનઆઇએ પ્રારંભથી જ આ કેસની તપાસ કરશે.
ભારતીય માછીમારોને દરિયાઇ ચાંચિયા સમજીને તેમની હત્યા કરનારા માસમિલાનો લાતેરે અને સલ્વાતોરે ગિલોનેની ધરપકડ ફેબ્રુઆરી, 2012માં કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની વિશેષ સૂચના અનુસાર વિશેષ અદાલતની ઘોષણા આજે એટર્ની જનરલ દ્વારા કરવામાં આવશે.
હવે જ્યારે સમગ્ર કેસ એનઆઇએને સોંપવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારને આશા છે કે કેસની ટ્રાયલ ઝડપથી આગળ વધશે અને બંને ઇટાલિયન્સ સામે કડક કાર્યવાહી કરી શકાશે.












Click it and Unblock the Notifications
