Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મરિન્સ કેસની તપાસ એનઆઇએના હાથમાં સોંપવામાં આવી

nia
નવી દિલ્હી, 1 માર્ચ : આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇટાલિયન મરીન્સ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સૌંપ્યો છે. આ સાથે આ કેસની તપાસમાં વિશેષ અદાલતની જાહેરાત પણ આજે થવાની શક્યતા છે.

આ કેસની તપાસમાં એનઆઇએ ખાસ ધ્યાન રાખશે કે મરિન્સ કેસની તપાસ ભારતીય કાયદા મુજબ થાય, જેના કારણે ઇટાલી સાથેની આંતરારાષ્ટ્રીય સંબંધો પર તેની અસર પડે નહીં. આ અગત્યનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે એમ લાગ્યું કે બે સ્થાનિક માછીમારોની હત્યા અંગે કેરાલા પોલીસે નોંધેલો કેસ કાયદાકીય રીતે મજબૂત રહ્યો નથી અને તેની તપાસ કોર્ટમાં થઇ શકશે નહીં. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનઆઇએ પ્રારંભથી જ આ કેસની તપાસ કરશે.

ભારતીય માછીમારોને દરિયાઇ ચાંચિયા સમજીને તેમની હત્યા કરનારા માસમિલાનો લાતેરે અને સલ્વાતોરે ગિલોનેની ધરપકડ ફેબ્રુઆરી, 2012માં કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની વિશેષ સૂચના અનુસાર વિશેષ અદાલતની ઘોષણા આજે એટર્ની જનરલ દ્વારા કરવામાં આવશે.

હવે જ્યારે સમગ્ર કેસ એનઆઇએને સોંપવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારને આશા છે કે કેસની ટ્રાયલ ઝડપથી આગળ વધશે અને બંને ઇટાલિયન્સ સામે કડક કાર્યવાહી કરી શકાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X