Ram Navami Violence : NIA કરશે રામ નવમી હિંસા કેસની તપાસ, કલકત્તા હાઇકોર્ટનો નિર્ણય
Ram Navami Violence : ગત દિવસોમાં પશ્ચિમ બંગાળના હાવડા અને દલખોલા સહિત અન્ય વિસ્તારોમાં રામ નવમી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવી છે. હવે રામ નવમી હિંસા કેસની તપાસ NIA કરશે.
કલકત્તા હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય એજન્સી NIAને તપાસ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રામ નવમી દરમિયાન પશ્ચિમ બંગાળના હાવડામાં છેલ્લા દિવસોમાં હિંસા થઈ હતી. બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ હિંસા દરમિયાન અનેક દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમ બંગાળમાં હિંસા દરમિયાન સરકારી વાહનો સહિત ખાનગી સંપત્તિને નુકસાન થયું હતું. આ પછી સુરક્ષાકર્મીઓએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
કલકત્તા હાઈકોર્ટ દ્વારા ગુરુવારના રોજ NIAને આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ પોલીસને આ હિંસાની તપાસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો NIAને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
અત્રે નોંધનીય બાબત છે કે, ભાજપ ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં રામ નવમી પર થયેલી હિંસાની તપાસ NIA ને સોંપવાની માંગ કરી હતી.












Click it and Unblock the Notifications
