નિર્ભયા કેસઃ દોષિતોને ફાંસી પર લટકાવતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખશે તિહાર જેલ
કોર્ટનો આદેશ આવ્યા બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આના માટે ફાંસીની ડમી તૈયાર કરવામાં આવશે.
દિલ્લી ગેંગરેપ અને હત્યાના કેસમાં નિર્ભયાના માતાપિતાની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે મોટો ચુકાદો સંભળાવીને ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કરી દીધુ. ચારે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી પર લટકાવવામાં આવશે. કોર્ટનો આદેશ આવ્યા બાદ દોષિતોના વકીલે કહ્યુ કે તે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પિટીશન દાખલ કરશે. બીજી તરફ કોર્ટનો આદેશ આવ્યા બાદ દોષિતોને ફાંસી પર લટકાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આના માટે ફાંસીની ડમી તૈયાર કરવામાં આવશે.

તિહાર જેલમાં ફાંસીની ડમી તૈયારી થશે
ડેથ વોર્ટ જેને બ્લેક વોરન્ટ પણ કહેવામાં આવે છે તેમાં તિહાર જેલ પ્રમુખના કાર્યાલયને સંબોધિત કરતા અધિક સત્ર ન્યાયાધીશ સતીષ કુમાર અરોરાએ ચારે દોષિતો મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહ સામે જારી કર્યો. સૂત્રો મુજબ તિહાર જેલના અધિકારી દોષિતે ફાંસી પર લટકાવતા પહેલા ડમી તૈયારી કરશે અને આ ડમી પ્રક્રિયા જેલ નંબર ત્રણમાં જ પૂરી કરવામાં આવશે. ફાંસી આપતા પહેલા ચારેનું રેગ્યુલર ચેકઅપ કરવામાં આવશે.

ચારે દોષિતોનુ રેગ્યુલર મેડીકલ ચેકઅપ કરાશે
જેલ અધિકારીઓ જણાવ્યા મુજબ આ દરમિયાન ચારેની સુરક્ષાનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ચારે દોષિતોના પરિવારવાળા જેલમાં તેમને આવીને મળી શકે છે. તિહાર જેલના અધિકારીઓએ ઉત્તર પ્રદેશની જેલોને જલ્લાદોની માહિતી માંગી છે અને કોર્ટ દ્વારા આપવામાં આવેલી ફાંસીની તારીખ અને સમય બતાવીને લેટર લખ્યો છે. તિહાર જેલના અધિકારીઓએ જણાયુ કે મેરઠથી જલ્લાદની માહિતી માંગવામાં આવી છે. ચારમાંથી ત્રણ દોષી જેલ નંબર 2માં છે જ્યારે ચોથો દોષી જેલ નંબર 4માં છે જે પહેલા મંડોલી જેલમાં હતો.

ઘરવાળાને મળવાની પરવાનગી
તિહાર જેલ પ્રશાસન ચારેની અલગ અલગ કેસ હિસ્ટ્રી તૈયાર કરશે. ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની હાજરીમાં ચારેનુ રેગ્યુલર ચેકઅપ થશે. આ દરમિયાન તેમના વ્યવહાર પર નજર રાખવામાં આવશે અને દર વખતે તેમનુ મોનિટરીંગ કરવામાં આવશે. તેમનુ મોનિટરીંગ કરનાર ગાર્ડ્ઝને 2 કલાકથી વધુની ડ્યુટી આપવામાં નહિ આવે. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ ચારેને સુરક્ષા સિવાય જેલમાંથી બહાર લાવવામાં નહિ આવે. દોષિતોના દોસ્તો, સંબંધીઓ અને વકીલને અઠવાજડિયામાં બે વાર મળવાની પરવાનગી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સાત વર્ષ પહેલા નિર્ભયા સાથે ચાલતી બસમાં 6 નરાધમોએ હેવાનિયત કરી હતી અને ત્યારબાદ તેને બસમાંથી નીચે ફેંકી દીધી હતી. નિર્ભયાએ થોડા દિવસો બાદ દમ તોડી દીધો હતો.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
