For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસ: મુકેશની દયા અરજીની સુનવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર

નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં મૃત્યુદંડની સજા પામેલા આરોપીઓમાંના એક મુકેશ કુમારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિની દયા અરજીને બરતરફ કરવાની ન્યાયિક સમીક્ષાની વિનંતી કરી

|
Google Oneindia Gujarati News

નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં મૃત્યુદંડની સજા પામેલા આરોપીઓમાંના એક મુકેશ કુમારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિની દયા અરજીને બરતરફ કરવાની ન્યાયિક સમીક્ષાની વિનંતી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મુકેશના વકીલને રજિસ્ટરની સામે માર્ગદર્શન આપવા જણાવ્યું છે.

મુકેશની અરજીની કરાવાશે સુનવણી

મુકેશની અરજીની કરાવાશે સુનવણી

તે જ સમયે, મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે 1 ફેબ્રુઆરીએ જો કોઈને ફાંસી આપવામાં આવશે, તો તે સ્પષ્ટ છે કે તેની અરજી પર સુનાવણી કરવાને અગ્રતા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, મુકેશે 1 ફેબ્રુઆરી માટે જારી કરાયેલા ડેથ વોરંટ પર પણ રોક લગાવવાની માંગ કરી છે.

પટિયાલા હાઉસ કોર્ટે ઉપલબ્ધ કરાવ્યા દસ્તાવેજ

અગાઉ નિર્ભયા કેસમાં ચાર દોષિત વિનય, પવન અને અક્ષય ઠાકુર વતી એડવોકેટ એ.પી.સિંઘે શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી કે દોષિતોને સંબંધિત દસ્તાવેજો પૂરા પાડવાની તિહાર જેલ પ્રશાસનની પાસેથી માંગ કરી છે. શનિવારે કોર્ટની સુનાવણી દરમિયાન અરજદારને કાગળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

1 ફેબ્રુઆરીએ અપાસે ફાંસી

1 ફેબ્રુઆરીએ અપાસે ફાંસી

આપને જણાવી દઈએ કે નિર્ભયાના દોષીઓને ફાંસીની સજા સંભળાવતા 1 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે, પરંતુ ફાંસીની સજા ન થાય તે માટે દોષિતો તમામ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.

English summary
Nirbhaya case: Mukesh reaches Supreme court for dismissal of mercy petition, plea granted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X