For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના દોષિતોને ગમે ત્યારે ફાંસી થઈ શકે, પરંતુ જેલ પ્રશાસન પાસે જલ્લાદ જ નથી

નિર્ભયાના દોષિતોને ગમે ત્યારે ફાંસી થઈ શકે, પરંતુ જેલ પ્રશાસન પાસે જલ્લાદ જ નથી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને બાદમાં સળગાવી તેની હત્યા કરવાના મામલે દેશભરમાં આક્રોશ વધતો જઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં મહિલા ડોક્ટર્સે દોષિતોને સજા-એ-મોતની માંગ કરી છે અને મહિલાઓની સુરક્ષાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. એવામાં દિલ્હીની તિહાર જેલમાં બંધ નિર્ભયાના દોષિતોને જલદી જ ફાંસી પર લટકાવવાની માંગ પણ ઉઠવા લાગી છે. નિર્ભયાના દોષિતો પાસે હવે કાનૂની વિકલ્પ નથી બચ્યા અને કોઈપણ સમયે તેમની ફાંસીની તારીખ નક્કી થઈ શકે છે. આ બધાની વચ્ચે તિહાર જેલ પ્રશાસન સામે અલગ જ પ્રકારની સમસ્યા ઉભી થઈ ગઈ છે.

ફાંસીને લઈ તિહાર જેલના અધિકારીઓ ચિંતિત

ફાંસીને લઈ તિહાર જેલના અધિકારીઓ ચિંતિત

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ તિહાર જેલ પ્રશાસનની ચિંતા આ વાતને લઈને છે કે ફાંસી આપવા માટે હાલ તેમની પાસે જલ્લાદ નથી. તિહાર જેલના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે એક મહિનામાં નિર્ભયાના દોષિતોને ગમે ત્યારે ફાંસીની તારીખ આવી શકે છે, એવામાં જેલ અધિકારીઓ ફાંસીનો ઈંતેજામ પૂરો કરવા માટે પોતાના બધા જ વિકલ્પો શોધીરહ્યા છે. ઉલ્લેખનીય છે કે દોષિતોને ફાંસીની મંજૂરી આપવા માટે કોર્ટ બ્લેક વોરન્ટ જાહેર કરશે, જે બાદ કોઈપણ દિવસે તેમને ફાંસી પર લટકાવી શકાય છે. રાષ્ટ્રપતિ તરફથી નિર્ભયાના દોષિતોની દયા અરજી ફગાવ્યા બાદ તેમની ફાંસીની તારીખ નક્કી કરવામાં આવશે.

યૂપીના ગામમાં જલ્લાદની તલાશ શરૂ થઈ

યૂપીના ગામમાં જલ્લાદની તલાશ શરૂ થઈ

જણાવી દઈએ કે અગાઉ તિહાર જેલમાં સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આી હતી. અફઝલને ફાંસી આપતી વખતે તિહારની સુરક્ષા બહુ સખ્ત કરી દેવામાં આવી હતી. તે સમયે પણ તિહાર જેલમાં જલ્લાદ નહોતો અને અફઝલની ફાંસી આપવા માટે એક કર્મચારીએ લીવર ખેંચવામાં પોતાની સહમતિ દાખવી હતી. હવે નિર્ભયાના દોષિતોની ફાંસી નજીક આવતી જોઈ તિહાર જેલના અધિકારીઓએ અનૌપચારિક રીતે અન્ય જેલોથી જલ્લાદને લઈ સંપર્ક સાધવો શરૂ કરી દીધો છે. તિહારના અધિકારી યૂપીના કેટલાક ગામોના પણ સંપર્ક સાધી રહ્યા છે, જેથી માલૂમ પડી શકે કે છેલ્લો જલ્લાદ કયા ગામેથી હતો.

જલ્લાદને લઈ પ્રશાસનની સમસ્યા

જલ્લાદને લઈ પ્રશાસનની સમસ્યા

જણાવી દઈએ કે આ વખતે તિહાર જેલ પ્રશાસન જલ્લાદની સ્થાયી નિયુક્તિ ના કરે તેવી સંભાવના છે, તેને બદલે કોન્ટ્રાક્ટ આધારે કોઈ જલ્લાદને નિયુક્તિ કરશે. જેલના એક અધિકારીએ જણાવ્યું કે, 'આપણે ત્યાં જે ન્યાય વ્યવસ્થા છે, તેમાં દુર્લભથી દુર્લભ મામલામાં મોતની સજા સંભળાવવામાં આવે છે, માટે સ્થાયી રીતે એક પૂર્ણકાલિન જલ્લાદને નિયુક્ત કરવાનો કોઈ મતલબ નથી. આ ઉપરાંત આવા પ્રકારના કામ માટે એક પૂર્ણકાલિન કર્મચારીને શોધવો પણ બહુ મુશ્કેલ છે.'

કેવી રીતે ફાસીની તારીખ નક્કી થશે

કેવી રીતે ફાસીની તારીખ નક્કી થશે

નિર્ભયાના દોષિતોમાંથી માત્ર એક દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી છે. અન્ય દોષિત- મુકેશ, પવન અને અક્ષયે તિહાર પ્રશાસન તરફથી એક અઠવાડિયાનો સમય આપ્યો હોવા છતાં દયા અરજી દાખલ કરી નથી. તિહાર જેલ પ્રશાસને આ અરજીને દિલ્હી સરકારને મોકલી દીધી છે, જ્યાંથી તેને એલજી પાસે મોકલવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'એલજી આ ફાઈલને ગૃહ મંત્રાલય પાસે મોકલશે અને મંત્રાલય આ અરજીને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરશે. જે બાદ રાષ્ટ્રપતિના ફેસલાની જાણકારી તિહાર જેલને મોકલી આપવામાં આવશે. જો રાષ્ટ્રપતિ તરફથી અરજી રદ્દ થઈ જાય છે તો જેલ પ્રશાસન બ્લેક વોરન્ટ જાહેર કરાવવા માટે કોર્ટ જશે. બ્લેક વોરન્ટ જાહેર થયા બાદ જેલ અધિકારી દોષિતો અને તેમના પરિજનોને ફાસી વિશે જાણકારી આપી દેશે.'

હૈદરાબાદ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં પીડિતાના પતિએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપહૈદરાબાદ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં પીડિતાના પતિએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

English summary
Nirbhaya: Execution nears, tihar jail is searching hangman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X