For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમારની પાસે કોઇ સિદ્ધાંત નથી : શાહનવાજ હુસેન

|
Google Oneindia Gujarati News

shahnawaz hussain
પટના, 18 જૂન : ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભાગલપૂરથી સાંસદ શાહનવાજ હુસૈને મંગળવારે કહ્યું કે જ્યારે અયોધ્યાનું આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે જનતા દળ(યૂનાઇટેડ)એ ભાજપા સાથે ગઠબંધન કર્યું હતું અને આજે નીતિશ કુમાર પ્રધાનમંત્રી મનમોહન સિંહે ધર્મનિરપેક્ષ નેતા પ્રમાણપત્ર લઇને ગદગદ છે.

શાહનવાજે પટનામાં પત્રકારોને કહ્યું કે નીતિશની પાસે કોઇ સિદ્ધાંત નથી. તેમણે કહ્યું કે અત્રે ધર્મનિરપેક્ષ અને સાંપ્રદાયિકતાનો કોઇ પ્રશ્ન નથી. તેમણે કહ્યું કે ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘનો સ્વયંમસેવક હોય છે. પરંતુ તેના માટે અડવાણી ધર્મનિરપેક્ષ છે અને બીજા નેતા સાંપ્રદાયિક થઇ જાય છે, એવું ચાલે નહીં.

હુસૈને કહ્યું કે કોંગ્રેસના રાજમાં ઘણા રમખાણો થયા હતા, પરંતુ આજે એજ દળના નેતા પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસે ધર્મનિરપેક્ષ નેતાનું પ્રમાણપત્ર લઇને નીતિશ ગદગદ થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે પ્રધાનમંત્રી મનમોહનસિંહે જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ધર્મનિરપેક્ષ નેતા ગણાવ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશે પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા તેમને ધર્મનિરપેક્ષ નેતા બતાવવા પર આભાર વ્યક્ત કર્યો હતો.

English summary
Nitish kumar have no any Principle BJP spokesperson Shahnawaz Hussain said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X