વૈશ્વિક વિચારકોની યાદીમાં નિતિશ કુમારનો સમાવેશ
મેગેજીનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી નિષ્ક્રિયતાના કારણે દુનિયાભરમાં જંગલ રાજ માટે જાણીતા બિહારમાં 2005માં નિતિશ કુમારે સત્તાની કમાન સંભાળી ત્યારથી પરિવર્તન જોવા મળ્યું છે.
મેગેજીનમાં કહેવામાં આવ્યું છે કે નિતિશ કુમારે પોતાના બે કાર્યકાળ દરમિયાન ગુનાઓને ખતમ કરવા, ભ્રષ્ટ અધિકારી પર નિયંત્રણ તથા આર્થિક વિકાસ માટે કેટલાક નવા કાર્યક્રમો શરૂ કર્યા છે. નિતિશ કુમારે ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરી છે. ભ્રષ્ટ અધિકારીની પોલ ઉઘાડી પાડનારને રોકડ રકમનું ઇનામ આપવામાં આવ્યું છે ભ્રષ્ટાચારની ફરિયાદોને યૂટ્યૂબ પર મૂકી છે.
તેમને ગરીબ બાળકો માટે લગભગ 15 હજાર સ્કુલ બનાવી છે, દોઢ લાખ શિક્ષકોની ભરતી કરી છે. છોકરીઓને સાયકલ આપવામાં આવી છે જેથી છોકરી સ્કૂલે જઇ શકે. બિહારમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે અને શિક્ષણનું સ્તર ઉંચું આવ્યું છે. જેથી ખબર પડે છે કે નિતિશ કુમારના પ્રયત્નો સફળ રહ્યાં છે.