એક સીટ જીતીને આટલું ઇતરાવાની જરૂર નથી: નીતિશ કુમાર
પટનામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું રાજદના લોકોને જેટલું ઇતરાવુ હોય તેટલું ઇતરાઇ લો. હવે આની પર શું કહીશું. તેમણે જણાવ્યું કે અમને ઘણી મોટી જીત હાસલ થઇ છે, પરંતુ અમે તો આવું કંઇ કર્યું નથી. આ તેમના સ્વભાવને દર્શાવે છે.
નીતિશે કહ્યું કે ગયા લોકસભાની ચૂંટણીની તૂલનામાં આ પેટાચૂંટણીમાં તેમની પાર્ટીને વધારે મત મળ્યા છે. અમારા બધા કાર્યકર્તાઓએ ઘણી મહેનત કરી હતી અને સહયોગી પાર્ટીના લોકોએ ઘણી મહેનત કરી છે તેમણે કહ્યું કે અમારું ગઠબંધન છે.
ઉલ્લેખનીય છેકે બુધવારે મહારાજગંજ પેટાચૂંટણીમાં રાજદની જીત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદે કહ્યું હતું કે નીતિશના પતનની શરૂઆત થઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે જ્ઞાતિ-ધર્મના પ્રભુનાથને વોટ લઇને નીતિશની પીઠ પર હથોડો ફટકારી દીધો. નોંધનીય છે કે મહારાજગંજ પેટાચૂંટણીમાં રાજદે જદયૂ ઉમેદવાર અને રાજ્યના શિણણ મંત્રી પીકે શાહીને 1.37થી વધારે મતોથી હરાવી દીધું.