NDA સાથે મજબૂતી સાથે ઉભા દેખાયા નીતિશ કુમાર, નરેન્દ્ર મોદીને કહ્યુ - 'જલદી કરો'
Lok Sabha Election Results 2024: ઈન્ડિયા એલાયન્સના ઘણા નેતાઓ તરફ ઝુકાવ હોવા છતાં, નીતિશ કુમારે એનડીએ અને નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે. બુધવારે એનડીએના સહયોગીઓએ ત્રણ ફકરાનો ઠરાવ પસાર કર્યો હતો.
આ પ્રસ્તાવમાં બધાએ નરેન્દ્ર મોદીને પોતાના નેતા જાહેર કર્યા છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી જૂને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. એક તરફ એનડીએની બેઠક ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠક પણ યોજાઈ હતી.

રિપોર્ટ અનુસાર એનડીએની બેઠકમાં નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને જલ્દી સરકાર બનાવવા માટે કહ્યું હતું. બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ 12 સીટો પર જીત મેળવી છે. બેઠકમાં નીતિશે નરેન્દ્ર મોદીને ઉતાવળ કરવા કહ્યું.
બેઠક દરમિયાન એનડીએ નેતાઓએ નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. જો કે બેઠક દરમિયાન કેબિનેટની રચના અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. સૂત્રોનું માનીએ તો, બેઠકમાં કેબિનેટની રચનાને લઈને કોઈપણ પ્રકારની ચર્ચા થઈ ન હતી અને ન તો કોઈ માગણી કરવામાં આવી હતી.
નીતિશ કુમારે કહ્યું કે ચૂંટણી ઘણી લાંબી અને સાત તબક્કામાં થઈ છે, તેથી સરકાર જલ્દી રચવી જોઈએ, જ્યારે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ પણ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. સતત ત્રીજી વખત ચૂંટણી જીતવી એ સરળ બાબત નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા માટે તેમના સહયોગીઓની જરૂર પડશે. ભાજપે ચૂંટણીમાં 240 બેઠકો જીતી છે, પાર્ટી 32 બેઠકોથી પૂર્ણ બહુમતીથી ઓછી છે. જેડીયુ અને ટીડીપીએ મળીને 28 સીટો જીતી છે. તેથી સરકારની રચનામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
આ ચૂંટણીમાં NDAને 293 બેઠકો મળી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સે 234 સીટો જીતી છે. 7 જૂને NDA સાંસદો સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે ચૂંટશે અને ગઠબંધનના નેતાઓ રાષ્ટ્રપતિને મળશે અને સમર્થન પત્રો સબમિટ કરશે.
ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગઠબંધન યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશે. લોકો ઈચ્છે છે કે ભાજપ દેશની સત્તા ના સંભાળે.












Click it and Unblock the Notifications
