નીતિશ કુમારે 9મી વખત બિહારના CM તરીકે શપથ લીધા

Nitish Kumar CM Oath: નીતીશ કુમારે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

આ પહેલા નીતિશ કુમારે રાજ્યપાલનું રાજીનામું આપીને નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

Nitish Kumar CM Oath

પટનાના રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમારની સાથે બે ડેપ્યુટી સીએમએ પણ પદના શપથ લીધા હતા. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાને રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.

રાજભવનમાં નીતિશ કુમાર શપથ લઈ રહ્યા હતા, ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ ગ્રહણમાં હાજરી આપવા રાજભવન પહોંચ્યા હતા. એવું જાણવા મળે છે કે, નીતિશે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, અને જે બાદ તેમણે 128 ધારાસભ્યોના સમર્થન પત્રો લઈને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે, જેડીયુ નેતા વિજય કુમાર ચૌધરીએ પણ નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી એનડીએ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. આ સિવાય જેડીયુના બિજેન્દ્ર પ્રસાદ યાદવે પણ મંત્રી પદના શપથ લીધા. તેમજ ભાજપના ડૉ. પ્રેમ કુમારે મંત્રી તરીકે શપથ લીધા હતા.

નીતિશને ભાજપના 78 ધારાસભ્યો, 45 જેડીયુ, ચાર હિન્દુસ્તાન અવમ મોરચા (હમ) અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે. રાજીનામાના ચાર કલાક બાદ નીતિશ કુમારે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા.

રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા નીતીશ કુમારે કહ્યું હતું કે આરજેડી ગઠબંધનમાં સારું કામ નથી કરી રહી. ચારે બાજુથી અભિપ્રાયો આવી રહ્યા હતા. આ આપણે સાંભળ્યું છે. હવે અગાઉનું ગઠબંધન છોડીને નવું ગઠબંધન બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, નીતીશ કુમારના શપથ ગ્રહણની સાથે જ 17 મહિના લાંબી મહાગઠબંધન સરકારનો પણ અંત આવી ગયો છે અને નીતીશ કુમાર ફરીથી જૂના પડાવમાં પરત ફર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X