For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકી ન શકાય

સુપ્રિમ કોર્ટે આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકવા માટે દાખલ કરેલી યાચિકા પર પોતાનો ચૂકાદો સંભળાવતા કહ્યુ કે ચાર્જશીટના આધાર પર જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકવા માટે દાખલ કરેલી યાચિકા પર પોતાનો ચૂકાદો સંભળાવતા કહ્યુ કે બંધારણીય પદો પર બેસેલા લોકોએ ધ્યાન રાખવુ જોઈએ કે વ્યવસ્થા ભ્રષ્ટાચારની શિકાર ના બને. કોર્ટે કહ્યુ કે ચાર્જશીટના આધાર પર જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય. કોર્ટે કહ્યુ કે ચૂંટણી લડવાથી રોકવા માટે માત્ર ચાર્જશીટ પૂરતી નથી.

‘સંસદે કાયદો બનાવવો જોઈએ'

‘સંસદે કાયદો બનાવવો જોઈએ'

સુપ્રિમ કોર્ટે યાચિકા પર સુનાવણી કરતા કહ્યુ કે સામાન્ય જનતાને પોતાના નેતાઓ વિશે પૂરી જાણકારી હોવી જરૂરી છે. દરેક નેતાએ ગુનાહિત રેકોર્ડની જાણકારી ચૂંટણી લડતા પહેલા ચૂંટણી આયોગને આપવી જોઈએ. વળી, કોર્ટે કહ્યુ કે આ મામલે સંસદમાં કાયદો બનવો જોઈએ. આ મામલે કોર્ટે કહ્યુ કે પક્ષોએ પણ પોતાના ઉમેદવારોની જાણકારી વેબસાઈટ પર નાખવાની રહેશે.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ તો આ કારણે રિલાયન્સને મળી હતી રાફેલની ડીલ!આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ તો આ કારણે રિલાયન્સને મળી હતી રાફેલની ડીલ!

ચાર્જશીટના આધાર પર ન થઈ શકે કાર્યવાહી

ચાર્જશીટના આધાર પર ન થઈ શકે કાર્યવાહી

આરોપી નેતાઓને ચૂંટણી લડતા રોકવા માટે દાખલ કરાયેલ યાચિકા પર સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટીલ આરએફ નરિમન, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાવાળી પાંચ જજોની પીઠે સુનાવણી કરી. આ મામલે ગઈ સુનાવણીમાં સરકારે દલીલ કરી હતી કે મોટાભાગના મામલામાં નેતા છૂટી જાય છે માટે તેમનું સભ્યપદ રદ કરવા જેવો કોઈ આદેશ આપવામાં ન આવે.

ગુનાહિત વર્ણન વેબસાઈટ પર શેર કરો

ગુનાહિત વર્ણન વેબસાઈટ પર શેર કરો

સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ યાચિકામાં માંગ કરવામાં આવી હતી કે ગંભીર ગુનાઓમાં જાં સજા 5 વર્ષથી વધુ હોય અને જો કોઈ વ્યક્તિ સામે આરોપ નક્કી થાય તો તેના ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ સુનાવણી દરમિયાન કહ્યુ કે ચાર્જીશીટના આધારે જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય.

આ પણ વાંચોઃ 'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદીઆ પણ વાંચોઃ 'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદી

English summary
No bar on criminal antecedents of political leaders, Parliament musk make laws, says supreme court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X