નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ
દેશ સાથે-સાથે સમગ્ર દુનિયાને હચમચાવી દેનાર નૈના સાહની હત્યા કેસના કુખ્યાત દોષિની મુક્તિના આવેદનને સજા સમીક્ષા બોર્ડે ફગાવી દીધુ છે.
દેશ સાથે-સાથે સમગ્ર દુનિયાને હચમચાવી દેનાર નૈના સાહની હત્યા કેસના કુખ્યાત દોષિની મુક્તિના આવેદનને સજા સમીક્ષા બોર્ડે ફગાવી દીધુ છે. એટલે સુધી કે દિલ્હી સરકારમાં ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈનની અધ્યક્ષતાવાળા બોર્ટમાં તેની અરજી પર સુનાવણીનો પણ ઈનકાર કરી દેવામાં આવ્યો. ત્યારબાદ આ કેસને અંજામ આપનારા હત્યારા સુશીલ શર્માનું જેલમાંથી બહાર આવવાનું અસંભવ થઈ ગયુ છે.

નૈના સાહની હત્યા કેસ 90 ના દશકમાં થયો હતો
નૈના સાહની હત્યા કેસ ક્રૂરતા, નફરત, ગુંડાગિરીનું એ ભયંકર રૂપ છે જેને કોઈ ભૂલી ન શકે. સત્તાના નશામાં ચૂર એક પતિએ પોતાની પત્નીને શંકાના આધારે માત્ર મારી જ નહિ પરંતુ શરીરના ટૂકડા ટૂકડા કરી તંદૂરમાં ફૂંકી દીધી હતી.

શંકાના આધારે પત્નીની હત્યા
તમને જણાવી દઈએ કે નૈના સાહની એક ખાનગી વિમાન કંપનીમાં પાયલટ હતી. કોંગ્રેસ નેદા સુશીલ શર્મા તે સમયે કોંગ્રેસના યુવા નેતા હતા. શર્મા નૈનાને પોતાની જૂની કોલેજના દોસ્ત કરીમ સાથે ઘણી વાર વાત કરતા જોઈ ચૂક્યો હતો.

નૈના સાહનીના શબને તંદૂરમાં બાળ્યુ
ત્યારબાદ તેના દિલ-દિમાગ પર શંકાનો કીડો ઘૂસી ગયો કે તેની પત્નીને તેના સાથી કરીમ સાથે સંબંધો છે. ત્યારબાદ તેણે નફરત અને ગુસ્સામાં આવીને 2 જુલાઈના રોજ પોતાની પત્નીને ગોળી મારી દીધી અને પુરાવો નષ્ટ કરવા માટે નૈના સાહનીના શબને મોટા ચાકૂથી ટૂકડાઓમાં કાપીને તંદૂરમાં ઝોંકી દીધુ.

પહેલા ફાંસી બાદમાં આજીવન કેદ
આટલુ જ નહિ જ્યારે શબના ટૂકડા બરાબર બળી ન શક્યા ત્યારે તેણે તંદૂરમાં માખણ નાખીને તેને બાળવાની કોશિશ કરી હતી. આ મામલે સજાથી બચવા માટે સુશીલે પોતાના રાજકીય સંપર્કોનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હતો પરંતુ પોલિસે 10 જુલાઈના રોજ શર્માની ધરપકડ કરી હતી. 2003 માં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે શર્માને દોષિત ગણીને ફાંસીની સજા સંભળાવી હતી પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે તેની ફાંસીને આજીવન કેદમાં બદલી દીધી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
