નવો આદેશ: હેલ્મેટ નહી, તો પેટ્રોલ નહી

જોકે હેલ્મેટ વિના પેટ્રોલ ન આપવાની યોજના પહેલાં પણ બનાવવામાં આવી હતી પરંતુ આ પ્રયત્ન સફળ રહ્યો ન હતો. હવે ફરી એકવાર નવેસરથી આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તે આમાં યોગદાન આપે. વાલીઓ નક્કી કરે કે તેમના બાળકો હેલ્મેટ વિના દ્રિચક્રી વાહન ન ચલાવે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે રાજ્યમાં વધતા જતાં અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમને ટ્રાન્સપોર્ટ કમિશનરને સૂચના આપી છે કે દરેક પ્રકારના વાહનો એમાં ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ગાડીઓ, બસો, ટ્રકો અમે ટ્રેકટર-ટ્રોલીઓ પર રિફ્લેક્ટિવ ટેપ, બેક લાઇટ રિફ્ટેક્ટર જરૂરથી લગાવે. શ્રી સિંહે કહ્યું હતું કે હવામાનને જોતાં આ અતિ આવશ્યક છે કે બધા વાહન ચાલકોમાં રિફ્લેક્ટિવ ટેપ લગાવી હોય તથા બેક લાઇટ ઠીક હોય જેથી વાહનોને દૂર જોઇ શકાય. તે માટે પ્રદેશવ્યાપી અભિયાન પણ ચલાવશે. આ દરમિયાન આ કોઇ વાહનમાં રિફ્લેક્ટિવ ટેપ અને બેક લાઇટ યોગ્ય જણાશે નજી તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ કુંભના મેળા માટે બોર્ડર અને તેની આસપાસના જિલ્લાઓના પરિવહન અધિકારીઓને વિશેષ સાવધાની વર્તવાનીસાથે સાથે મેળાના સમયગાળા દરમિયાન ઓછા અકસ્માત બને તેવી યોજના બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે માટે વાહન વ્યવહાર યોગ્ય બનાવવો જરૂરી છે.












Click it and Unblock the Notifications
