સ્વીત્ઝરલેન્ડે કાળા ધન અંગે કોઇ માહિતી આપી નથી : અરૂણ જેટલી
નવી દિલ્હી, 23 જૂન : ભારત સરકાર સ્વીત્ઝરલેન્ડમાં ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલા કાળા ધન (બ્લેક મની)ની માહિતી માટે સ્વીત્ઝરલેન્ડને પત્ર લખવાની છે. આ અંગેની માહિતી સોમવારે નાણા મંત્રી અરૂણ જેટલીએ આપી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું કે આ મુદ્દે યુરોપના આ દેશ પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ભારત સરકાર પત્ર લખવાની છે.
નાણા મંત્રી અરૂણ જેટલીનું આ નિવેદન એ સમાચારના એક દિવસ બાદ આવ્યું છે જેમાં સ્વીત્ઝરલેન્ડ સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ કેટલાક ચોક્કસ લોકો અને સંસ્થાઓના નામની માહિતી ભારતને આપી રહ્યા છે.

જોકે બે દેશ વચ્ચે માહિતીની આપ-લેની ગુપ્તતાના કરારનો હવાલો આપી આ શંકાસ્પદ વ્યક્તિઓનાં નામ તેમ જ તેમનાં નામે બેંકોમાં પડી રહેલાં કાળાનાણાંની વિગતો આપવાનું અધિકારીએ નકારી કાઢ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે સ્વિસ સરકાર ભારતની નવી સરકાર સાથે કામ કરવા ઉત્સુક છે અને સ્વિસ બેંકમાં પડી રહેલાં ભારતીયોનાં કાળાનાણાં અંગેની તપાસ માટે નિમવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ને જરૂરી સહાય કરવા પણ તૈયાર છે.












Click it and Unblock the Notifications
