For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાસૂસી કાંડમાં કેન્દ્રની પીછેહટ, નહીં કરે મામલાની તપાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 મેઃ ગુજરાતના બહુચર્ચિત મહિલા જાસૂસી કાંડમાં સૂપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, તે આ મામલાની તપાસ નહીં કરાવે. આ મામલે કેન્દ્ર સરકાર તરપથી સોલસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકાર તપાસ માટે કોઇ પંચની રચના નહીં કરે.

superme
બીજી તરફ યુવતીના પિતાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યાચિકાકર્તા પિતાને કહ્યું કે તેઓ રાજ્યની તપાસ પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં જાય અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરે.

નોંધનીય છેકે, આ જાસૂસી કાંડમાં ત્યારે નવો વળાંક આવ્યો હતો જ્યારે આ પ્રકરણની કેન્દ્ર બિંદુ બનેલી યુવતીએ પોતાના પિતા સાથે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને પોતાના તપાસ પંચોમાં આગળ વધતા રોકવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કથિત આદેશો પર ગુજરાત પોલીસે આ યુવતીનો પીછો કર્યો હતો.

નોંધનીય છેકે એક સમાચાર પોર્ટલ તરફથી તાજેતરમાં 2009માં મહિલા આર્કિટેક્ટની જાસૂસી કરાવવા અંગે મોદીના સહયોગી અમિત શાહ અને રાજ્ય પોલીસના બે પ્રમુખ અધિકારીઓ વચ્ચે ટેલિફોન પર કથિત વાતચીત સંબંધિત સીડી જારી કરવામાં આવ્યા બાદ આ વિવાદ ચગ્યો હતો.

English summary
No inquiry will be conducted into the snoopgate scandal involving Bharatiya Janata Party's prime ministerial candidate Narendra Modi, the Centre told the Supreme Court on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X