For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો એટલા માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે ભાજપ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 માર્ચઃ આ રાજકારણ છે, જ્યાં ક્યારે પોતાના પારકા અને પારકા પોતાના થઇ જાય છે તે ખબર પડતી નથી. કદાચ એ જ વાત મુખ્ય વિપક્ષીદળ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે સમજી ગઇ છે અને તેથી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ લાવવાના મૂડમાં નથી. આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઇએ કે શ્રીલંકામાં તામિળોના મદ્દે ડીએમકેએ કેન્દ્ર સરકારથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. યુપીએ સરકાર હવે લઘુમતિમાં આવી ગઇ છે. જો કે, સમાજવાદી પાર્ટી અને બસપાએ બહારથી સમર્થન આપીને સરકારને બચાવી લીધી છે. કેન્દ્ર સરકારના દિગ્ગજોએ એવો દાવો પણ કર્યો છે કે સરકાર સુરક્ષિત છે, તો બીજી તરફ ભાજપે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ નહીં લાવે.

ભલે ભારતીય જનતા પાર્ટી આ સંબંધમાં એવું કહી રહી હોય ખે સરકાર લંગડી થઇ ચૂકી છે અને અવિશ્વાસના ઠરાવ વગર જ પડી જશે, પરંતુ સત્ય ઘણું દૂર છે. જાણકારોની વાત માનીએ તો હાલની રાજકીય સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ફૂંકી-ફૂંકીને ડગ માંડી રહી છે. ભાજપ સપા અને બસપના જોરે કોઇ જુગાર રમવા માગતી નથી.

bjp-leader
ભાજપ એ વાત જાણે છે કે જો સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ લાવે તો મુલાયમ અને માયાવતી સાંપ્રદાયિક શક્તિઓ સાથે નહીં જવાની પોતાની મજબૂરીને જણાવીને તેમની વિરુદ્ધ વોટ કરશે અને સરકારને બચાવી લેશે. ભાજપને એ પણ ખબર છે કે એકવાર સરકાર બચી ગઇ તો તેને છ મહિના સુધી અભયદાન મળી જશે. આ જ કારણ છે કે મુલાયમ કે માયાવતીમાંથી કોઇ એક નેતા સ્પષ્ટપણે કેન્દ્ર સરકારને સમર્થન પરત નથી આપતા, ભાજપ અનિચ્છાએ પણ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવા માટે મજબૂર છે. બસ તે દૂઆઓ કરી રહ્યાં છે કે સરકાર દબાણ વશ પડી ભાંગે.

English summary
In the backdrop of the DMK withdrawing support to the UPA, the BJP said it has no plans to bring a no-confidence motion in Parliament against the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X