Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાવરકરને સમલૈંગિક ગણાવવા પર હવે NCP પણ કોંગ્રેસ પર ભડકી, કહી આ વાત

કોંગ્રેસ સેવાદળની બુકલેટમાં વિનાયક દામોદર સાવરકર વિશે વિવાદિત ટિપ્પણી અંગે રાજકીય હોબાળો ઉભો થઈ ગયો છે. આ વિશે કોંગ્રેસ પર ભડકીને હવે એનસીપીએ પણ મોટુ નિવેદન આપ્યુ છે.

કોંગ્રેસ સેવાદળની બુકલેટમાં વિનાયક દામોદર સાવરકર વિશે વિવાદિત ટિપ્પણી અંગે રાજકીય હોબાળો ઉભો થઈ ગયો છે. આ સમગ્ર વિવાદમાં જ્યાં ભાજપે કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો છે ત્યાં મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી શિવસેનાએ કહ્યુ છે કે કોંગ્રેસના દિમાગમાં ગંદકી ભરી છે. વાસ્તવમાં ભોપાલમાં કોંગ્રેસ સેવાદળે વિનાયક દામોદર સાવરકર વિશે એક બુકલેટ છાપી છે જેમાં લખવામાં આવ્યુ છે કે સાવરકર અને નાથૂરામ ગોડસે વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. આ વિશે કોંગ્રેસ પર ભડકીને હવે એનસીપીએ પણ મોટુ નિવેદન આપ્યુ છે.

‘આ રીતે કોઈના વિશે વાંધાજનક લેખ લખવો અયોગ્ય'

‘આ રીતે કોઈના વિશે વાંધાજનક લેખ લખવો અયોગ્ય'

એનસીપીના પ્રવકતા નવાબ મલિકે સાવરકર વિશે ચાલી રહેલા વિવાદ પર કહ્યુ, ‘આ રીતે કોઈના વિશે વાંધાજનક લેખ લખવો અયોગ્ય છે. વૈચારિક મતભેદ બરાબર છે, પરંતુ કોઈના ઉપર વ્યક્તિગત ટિપ્પણી ન કરવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે તે વ્યક્તિ (સાવરકર) જીવિત નથી. એ વિવાદિત બુકલેટને પાછી લેવી જોઈએ.' તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સેવાદળની આ બુકલેટમાં સાવરકર વિશે એવી વાંધાજનક વાતો લખવામાં આવી છે જેના માટે વિવાદ થઈ રહ્યો છે.

વિભાગોની વહેંચણીમાં કેમ થઈ રહ્યો છે વિલંબ, નવાબ મલિકે જણાવ્યુ

વિભાગોની વહેંચણીમાં કેમ થઈ રહ્યો છે વિલંબ, નવાબ મલિકે જણાવ્યુ

મહારાષ્ટ્ર સરકારમાં વિભાગોની વહેંચણીમાં થઈ રહેલા વિલંબ વિશે જ્યારે નવાબ મલિકને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ, ‘મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણીમાં વિલંબ પાછળ કોઈ ખાસ કારણ નથી, મોડુ એટલા માટે થઈ રહ્યુ છે કારણકે અમે અમુક નવા વિભાગો બનાવવા વિશે વિચાર કરી રહ્યા છે અને આમાં સમય લાગી રહ્યો છે. સોમવારે બધા મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે.' ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મંત્રીઓના શપથ લીધા બાદ પણ હજુ સુધી વિભાગોની વહેંચણી થઈ નથી. જો કે ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવારનુ નામ ફાઈનલ થઈ ચૂક્યુ છે.

‘સાવરકરના અપમાન પર ક્યાં સુધી ચૂપ રહે છે શિવસેના'

‘સાવરકરના અપમાન પર ક્યાં સુધી ચૂપ રહે છે શિવસેના'

આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સાવરકર ઉપર વિવાદિત ટિપ્પણી વિશે શિવસેના પર નિશાન સાધ્યુ હતુ. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, આ સમગ્ર મામલે હું જોવા ઈચ્છુ છુ કે છેવટે સાવરકરના અપમાન પર શિવસેના ક્યાં સુધી ચૂપ રહે છે. કોંગ્રેસના સેવાદળના પુસ્તકમાં દેશભક્ત વિનાયક દામોદક સાવરકરની સાખ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આવા વિવાદિત ટિપ્પણીવાળા પુસ્તક દ્વારા કોંગ્રેસે પોતાની બકવાસ માનસિકતો પરિચય આપ્યો છે. જો આજે બાલા સાહેબ ઠાકરે જીવિત હોત તો આ પુસ્તકનો વિરોધ કરનાર તે પહેલા વ્યક્તિ હોત. હું આશા રાખુ છુ કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વહેલી તકે આ પુસ્તકને પ્રતિબંધિત કરવાનુ એલાન કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X