સિક્કિમમાં કોરોનાના સંક્રિય કેસની સંખ્યા 1 લાખને પાર! કેન્દ્રએ ટીમ મોકલી!
કોરોના મહામારીની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે પરંતુ ઉત્તરપૂર્વથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સિક્કિમમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને બુધવારે 1471 નવા કેસ નોંધાયા હતા.
નવી દિલ્હી, 6 ઓક્ટોબર : કોરોના મહામારીની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે પરંતુ ઉત્તરપૂર્વથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સિક્કિમમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને બુધવારે 1471 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દર્દીઓની કુલ સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. આ સ્થિતિમાં સિક્કિમ હાલમાં ભારતમાં સૌથી ખરાબ કોવિડ-19 અસરગ્રસ્ત રાજ્યોની યાદીમાં ચોથા ક્રમે છે. તેની પહેલા કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના નંબર છે. માત્ર 10.91 લાખની વસ્તીવાળા સિક્કિમમાં સ્થિતિ એટલી ચિંતાજનક છે કે કેન્દ્રએ તેની ચાર સભ્યોની ટીમ ત્યાં મોકલી છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, કેન્દ્રની ચાર સભ્યોની ટીમ તમામ જિલ્લાના મુખ્ય તબીબી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. તે પછી સ્ટેટસ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરાશે. આ ટીમનું નેતૃત્વ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના કન્સલ્ટન્ટ-રોગચાળાના નિષ્ણાત ડો.વિનીતા ગુપ્તા કરી રહ્યા છે. ટીમ ગુરુવારે ભારત-મ્યાનમાર સરહદ પર ચાંફાઇ જિલ્લાની પણ મુલાકાત લેશે, જ્યાં પડોશી દેશમાંથી આવેલા હજારો શરણાર્થીઓ રહે છે.
રાજ્યમાં વધુ 4 લોકોના મોત થતા કોરોના વાયરસથી મોતની સંખ્યા વધીને 335 થઈ ગઈ છે. આ સિવાય સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,01,327 પર પહોંચી છે. જો કે મંગળવારની સરખામણીમાં 210 ઓછા કેસ નોંધાયા હતા, જ્યારે સકારાત્મકતા દર 18 ટકાથી ઘટીને 15.36 ટકા થયો હતો. તે જ સમયે તાજેતરના આંકડા અનુસાર, 1000 વસ્તી દીઠ ઓછામાં ઓછા 92 લોકોને ચેપ લાગી ચુક્યો છે.
રાજ્ય રસીકરણ અધિકારી ડો.લાલજાવમીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 6.83 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી 4.55 લાખ લોકોને બંને ડોઝ મળ્યા છે. હાલમાં આઈઝોલ જિલ્લાઓની યાદીમાં ટોચ પર છે, જ્યાં 64,589 કોવિડ કેસ નોંધાયા છે. તે પછી લુંગલેઇ 7,577 અને કોલાસિબ 7,177 આવે છે.












Click it and Unblock the Notifications
