WHOએ ઓરિસ્સા સરકારની કરી પ્રશંસા, કહ્યુ - મુસીબતો બાદ પણ કોરોનાથી બચવા સારુ કામ કર્યુ
વિશ્વ આરોગ્ય સંગઠને કુશળ કોવિડ-19 મેનેજમેન્ટ માટે ઓરિસ્સા સરકારની પ્રશંસા કરી છે
નવી દિલ્લીઃ ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 62 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. વર્તમાન સમયમાં બધા રાજ્ય કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને કુશળ કોવિડ-19 મેનેજમેન્ટ માટે ઓરિસ્સા સરકારની પ્રશંસા કરી છે કારણકે અમ્ફાન તોફાન દરમિયાન પણ ઓરિસ્સા સરકારે પોતાના નાગરિકો અને પ્રવાસી મજૂરોની રક્ષા કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ આવતા પહેલા જ ત્યાં ઘણા મોટા પગલાં લેવામાં આવ્યા હતા. જેના કારણે સ્થિતિ નિયંત્રણમાં રહી.

પ્રવાસી મજૂરો આવતા રહ્યા તેમછતાં પણ કેસ લોડ ઓછો રહ્યો
WHOની વેબસાઈટ પર 'ગવર્નન્સથી સામુદાયિક લચીલાપણુઃ ઓરિસ્સાની કોવિડ-19 પર પ્રતિક્રિયા' નામથી એક લેખ પ્રકાશિત થયો છે. જેમાં ઓરિસ્સા અને ત્યાં કોરોના વાયરસની રોકથામ માટે વિસ્તારથી લખવામાં આવ્યુ છે. WHOના જણાવ્યા મુજબ સામાજિક વિકૃતિના ઉપાયોનુ પાલન કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પડકારરૂપ હતા પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં રાજ્યના અનુભવે સ્થિતિને સંભાળવામાં મદદ કરી. સાથે જ પંચાયતી રાજ સંસ્થાઓમાં પણ કોરોનાના પ્રસારને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવી. લેખમાં જણાવ્યા મુજબ રાજ્યમાં પ્રવાસી મજૂરો આવતા રહ્યા તેમછતાં પણ કેસ લોડ ત્યાં ઓછો જ રહ્યો. અડધા મિલિયન પ્રવાસી મજૂરો તો માત્ર ગુજરાતના સુરતથી ગંજમ આવ્યા હતા. કોવિડના ફેલાવ માટે ગંજમ દેશના સૌથી ખરાબ જિલ્લાઓમાંનો એક હતો પરંતુ સીએમઓ અને સીએમઓના અધિકારીઓની ટીમે અગાઉ ગંજમના કલેક્ટર વી કે પાંડિયની આગેવાની હેઠળ ચાર્જ સંભાળ્યો અને જિલ્લામાં એક જ મહિનામાં ધરખમ ફેરફાર થઈ ગયો અને અત્યારે દેશનો સૌથી શ્રેષ્ઠ કોવિડ પર્ફોર્મિંગ જિલ્લો છે.

દેશની પહેલી 1000 બેડવાળા કોવિડ-19 હોસ્પિટલ બનાવી
ઓરિસ્સા સરકારના અન્ય મોટા નિર્ણયોને જણાવતા લેખમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં કોઈ પણ કેસ સામે નહોતો આવ્યો ત્યારે પણ ત્યાંની સરકારે 13 માર્ચે બધા સાર્વજનિક સ્થળોને બંધ કરી દીધા હતા. ત્યારબાદ 15 માર્ચે ત્યાં પહેલો કેસ નોંધવામાં આવ્યો. ત્યારબાદ સ્ટેટ કંટ્રોલ રૂમને ઑપરેશનમાં લગાવી દેવામાં આવ્યા. આ સાથે જ આરોગ્ય અધિકારીઓએ હાથ ધોવા, માસ્ક વગેરે વિશે જાગૃતિ અભિયાન શરૂ કરી દીધુ હતુ. ઓરિસ્સામાં ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે પણ ઝડપથી નિર્ણય લીધો અને કલિંગ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાથે એક સપ્તાહના રેકોર્ડ સમયમાં દેશની પહેલી 1000 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ બનાવી.

બહુ-આયામી દ્રષ્ટિકોણ અપનાવ્યો
લેખમાં જણાવ્યા મુજબ સરકારે કોરોનાથી લડવા માટે બહુ-આયામી દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો. જેમ કે પ્રવાસીની અવરજવર પર નિરીક્ષણ, ઑનલાઈન ઈ-પાસ જારી કરવા, દર્દીઓની કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરવી, ભોજન અને આવાસની સુવિધા આપવી, આરોગ્યનુ નિરીક્ષણ કરવુ વગેરે. આ ઉપરાતં 18 હજારથઈ વધુ અસ્થાયી ચિકિત્સા શિબિરોને પણ ક્વૉરંટીન સેન્ટર તરીકે પરિવર્તિત કરવામાં આવ્યા. વળી, કોરોના કાળમાં પણ બધાને ચિકિત્સા સુવિધા મળે તેના માટે ટેલીમેડિસિનની વ્યવસ્થા કરવામાં આવી.












Click it and Unblock the Notifications
